મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગના ગુનામા આરોપીની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે


SHARE











વાંકાનેરમાં નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગના ગુનામા આરોપીની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે

વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા યુવાને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને લેન્ડ ગ્રેબીંગની ફરિયાદના આરોપીએ ધરપકડ સામે સ્ટે માટે હાઇકોર્ટમાં રીટ પિટિશન કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીની ધરપકડ સામે સ્ટે ફરમાવેલ છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના રહીશ અમીનાબેન જીવાએ ખેતીની જમીન રે.સ.નં. ૬૯/૩ જનુબેન જીવા પાસેથી ખરીદ કરેલ હતી અને અમીનાબેનના અવશાન બાદ તે જમીન તેના વારસદારોને ભાગે આવેલ તે પૈકી તેના વારસદાર પુત્ર સુલ્તાન અબ્દુલ શેરસીયાએ ચંદૂપુરના રહીશ મહેબુબ અહમદ શેરસીયા સામે ધી ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટની જુદી જુદી કલમો મુજબ જમીન પચાવી પાડવા અંગે ફરિયાદ કરેલ હતી. જે અનુસંધાને આરોપી મહેબુબ અહમદ શેરસીયાએ ગુજરાત હાઈકોટૅમાં રીટ પીટીશન કરતાં વડી અદાલતે આરોપીની ધરપકડ સામે સ્ટે ફરમાવેલ છે. આ કામે આરોપી મહેબુબ અહમદ શેરસીયા તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતિ પુષ્પાબેન ભટ્ટ તથા કૈાશિકભાઈ ભટ્ટ રોકાએલ હતા






Latest News