મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં રાત્રિ દરમ્યાન તસ્કરોના આંટાફેરા: લોકોમાં ફફડાટ


SHARE







મોરબીમાં યદુનંદન સોસાયટીમાં રાત્રિ દરમ્યાન તસ્કરોના આંટાફેરા: લોકોમાં ફફડાટ

મોરબી શહેરના સનાળા રોડ છાત્રાલય પાછળ આવેલ યદુનંદન પાર્ક ૧૯/૨૨ ની શેરી નં-૩ માં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો હાથમાં હથિયાર લઈને આંટાફેરા કરતા હોય છે અને ચોરી કરવાના ઇરાદે આ શખ્સો આંટાફેરા કરતા હોવા અંગેની સ્થાનિક લોકો દ્વારા અગાઉ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા વધુ એક વખત મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર હોય તેમજ મોરબીમાં સિરામિક ઉદ્યોગ બંધ હોવાના કારણે ચોરીની ઘટનાઓ ન બને તે માટે ત્યાં પેટ્રોલીંગ વધારવાની લોકોએ માંગ કરી છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેર અને જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ચોરી ઘટનાઓ સામાન્ય બની ગઇ હોય તેમ અવારનવાર ચોરીની ઘટનાઓને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવતો હોય છે તેવી જ રીતે મોરબી શહેરના શનાળા રોડ ઉપર છાત્રાલય પાછળ આવેલ યદુનંદન પાર્ક ૧૯/૨૨ ની શેરી નં-૩ માં ગત તા. ૫/૭, ૨૦/૭ અને ૨૧/૭ ના રોજ રાત્રિના સમયે હાથમાં હથિયાર લઈને તસ્કર ટોળકી આંટા મારતી હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે જે સીસીટીવી ફૂટેજ સાથે જે તે સમયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી

જેથી કરીને યદુનંદન સોસાયટીમાં રહેતા લોકો દ્વારા વધુ એક વખત મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર હોવાથી ઘણા લોકોના ઘર બંધ હોય અથવા તો સિરામિક ઉદ્યોગ બંધ થતો હોવાથી કેટલાક લોકો પોતાના ગામડે જાય અને તેઓના ઘર બંધ હોય ત્યારે તસ્કર ટોળકી દ્વારા બંધ ઘરને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં ન આવે તે માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા યદુનંદન સોસાયટી અને આસપાસના વિસ્તાર રાત્રી પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ છે




Latest News