મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના ઘરફોડ તથા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો


SHARE











ટંકારાના ઘરફોડ તથા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરી અને બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનાઓમાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ટંકારાની લતીપર ચોકડી પાસેથી પકડીને ટંકારા પોલીસને સોંપ્યો હતો.

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મળેલ બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ અને બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે શોધખોળ કરવામાં આવી રહી હતી.તેવામાં નાસતો ફરતો આરોપી કૈલાશ પેનો વસુનીયા (ઉમર ૨૪) રહે.મોટા પાવગામ જિલ્લો દાહોદ વાળો ટંકારાની લતીપર ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે બે વર્ષથી જુદાજુદા ચોરીના ગુના કરી નાસતો ફરતો આરોપી ત્યાંથી પકડી પડ્યો હતો અને આ આરોપીને હાલમાં ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઘવાયેલ દંપતી સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર વિસ્તારના વૈભવ હોમ્સમાં રહેતા સુરેશભાઈ છગનભાઈ કલોલા (૫૭) અને તેમના પત્ની ત્રિવેણીબેન સુરેશભાઈ (૫૫) ને ફ્લેટ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા પોલીસ દ્વારા જઈને નિવેદન નોંધવામાં આવતા તેઓના એપાર્ટમેન્ટમાં રહેતા પાડોશીઓ સાથે કોઈ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેઓને સારવારમાં લાવવામાં આવ્યા હોવાનું તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું.






Latest News