કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા


SHARE







ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા

રાજયભરમાં ગૌધન ગૌવંશમાં લમ્પી વાયરસ ફેલાવવાથી ગાયોનું મરણ આંક વધી રહ્યો છે. ત્યારે તેની ચિંતા સેવતા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છના જાગૃત સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ગુજરાતભરના પશુધનમાં લમ્પી વાયરસ ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ ૫.૩૪ લાખ જેવુ ગૌધન કચ્છમાં છે અને ૧.૫૦ લાખ જેવા ગૌધન બચાવ માટે રસીકરણ થયેલ છે. હાલમાં ૭૦ થી ૭૨ તબીબી ટીમો, સ્વયંમ સેવકોને સાથે લઈ રાઉન્ડ ધ ક્લોક સેવા આપે છે.

આ બાબતે કોર કમિટી બેઠકમાં પણ તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત બધાને રજુઆત કરેલ છે. ગાયોનું રસીકરણ ઝડપી થાય માટે તબીબી ટીમો ૭૦ થી વધારી ૧૫૦ કરવામાં આવે અને વધુને વધુ પશુવાનની પણ આવશ્યકતા છે. આ બાબતે પશુપાલકો, જન પ્રતિનિધિઓ ગૌશાળા સંચાલકોની રજુઆતોને લઈ આજે પણ પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલને પત્ર લખી વાસ્તવિક પરિસ્થિતી દર્શાવી છે. વધુ તબીબી ટીમો, ૧૦૦ ટકા રસીકરણ, જન જાગૃતી અને સાવચેતીના પગલા ગ્રામ્ય સ્તર સુધી પ્રચાર પ્રસાર થાય જેથી વધુ પશુઓ આ વાયરસથી બચાવી શકાય તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.




Latest News