મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં 10 ટકા લેખે રૂપિયા લેનારા યુવાને ત્રણ ગણી રકમ ચુકવી છતાં યુવાનનું અપહરણ કરીને માર માર્યો


SHARE











હળવદમાં 10 ટકા લેખે રૂપિયા લેનારા યુવાને ત્રણ ગણી રકમ ચુકવી છતાં યુવાનનું અપહરણ કરીને માર માર્યો

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા બેફામ ચાલી રહ્યા છે અને અવારનવાર વ્યાજખોરોની સામે ફરિયાદો પણ નોંધાતી હોય છે તેમ છતાં પણ વ્યાજખોરો સામે કડક હાથે કામગીરી કરવામાં આવતી ન હોવાથી વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા લોકોને ડરાવવા, ધમકાવવાથી લઈને અપહરણ કરીને માર મારવા સુધીના બનાવો મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં અગાઉ બની ચૂક્યા છે આવી જ રીતે હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારની અંદર રહેતા યુવાને દસ ટકા લેખે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ત્રણ ગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ મુળી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનનું સરા નાકા પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને છ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં લાંબાડેરી પાસે રહેતા જુમાભાઇ કરીમભાઈ નારેજા (ઉંમર વર્ષ 45)એ હાલમાં મયુર રબારી, નરશી રબારી, વિક્રમ મનુભાઈ રબારી અને મનુભાઈ રબારી રહે ચારે હળવદ અને અજાણ્યા બે આમ કુલ મળીને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને આરોપીઓ પાસેથી દસ ટકાના વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે ત્રણ ગણી રકમ તે લોકોને પરત ચૂકવી દીધી હોવા છતાં પણ આરોપીઓ દ્વારા તેની પાસેથી વ્યાજ અને મૂડીની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને બળજબરીથી રૂપિયા કઢાવવા માટે થઈને મયુર રબારી, નરશી રબારી અને વિક્રમ રબારી દ્વારા હળવદના સરા નાકા પાસેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને લાકડાના ધોકા અને પાઇપથી માર મારવામાં આવ્યો હતો તેમજ મનુભાઈ રબારીએ છરી વડે તેને શરીરે ઇજા કરી હતી અને અન્ય બે શખ્સ હતા તેણે પણ ઢીકા પાટુનો માર માર્યો હતો અને અગાઉ આરોપીઓ દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા જુમાભાઇ નારેજા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ 323, 324, 326, 367, 504, 506 (2), 114 તેમજ ગુજરાત નાણાધિરધાર અધિનિયમન 2011 ની કલમ 40, 42 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News