મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ


SHARE











મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ -૬માટેની પ્રવેશ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે .આ પરીક્ષા ધોરણ -પના વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઈચ્છતા હોય છે .આ પરીક્ષા ઉતીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ,પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે

આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ઘુંટુ ગામની શ્રી નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી ગઢીયા દિપ અશોકભાઈ પાસ થયેલ છે અને જવાહર નવોદયની અતિ કઠિન મનાતી  પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા,ઘુંટુ ગામ અને શ્રી નવોદય વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવેલ છે

માળીયા તાલુકાનાં વર્ષામેડી ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થીએ જવાહર નવોદયમાં પ્રવેશની પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં વર્ષામેડી ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી મિયાત્રા ધર્માંયું પરેશભાઈ પાસ થયો છે. જેથી શાળાના આચાર્ય સોલંકી વિનુભાઈ તેમજ સ્ટાફ દ્વારા મિયાત્રા ધર્માંયુંને અભિનંદન પાઠવવામાં આવેલ છે આવી જ રીતે માળીયાના નાનાદહીંસરા ગામની નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાડજા વિશ્વા જીગ્નેશભાઈએ પણ પરીક્ષા આપી હતી અને તે આ પરીક્ષામાં પાસ થયેલ છે. જેથી નાનાદહીંસરા ગામ અને શાળાનું ગૌરવ વધારનારી દીકરી ઉપર અભિનંદન વર્ષી રહ્યા છે 






Latest News