તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ


SHARE











મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ -૬માટેની પ્રવેશ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે .આ પરીક્ષા ધોરણ -પના વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઈચ્છતા હોય છે .આ પરીક્ષા ઉતીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ,પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે

આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ઘુંટુ ગામની શ્રી નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી ગઢીયા દિપ અશોકભાઈ પાસ થયેલ છે અને જવાહર નવોદયની અતિ કઠિન મનાતી  પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા,ઘુંટુ ગામ અને શ્રી નવોદય વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવેલ છે

માળીયા તાલુકાનાં વર્ષામેડી ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થીએ જવાહર નવોદયમાં પ્રવેશની પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં વર્ષામેડી ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી મિયાત્રા ધર્માંયું પરેશભાઈ પાસ થયો છે. જેથી શાળાના આચાર્ય સોલંકી વિનુભાઈ તેમજ સ્ટાફ દ્વારા મિયાત્રા ધર્માંયુંને અભિનંદન પાઠવવામાં આવેલ છે આવી જ રીતે માળીયાના નાનાદહીંસરા ગામની નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાડજા વિશ્વા જીગ્નેશભાઈએ પણ પરીક્ષા આપી હતી અને તે આ પરીક્ષામાં પાસ થયેલ છે. જેથી નાનાદહીંસરા ગામ અને શાળાનું ગૌરવ વધારનારી દીકરી ઉપર અભિનંદન વર્ષી રહ્યા છે 






Latest News