મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતો યુવા સિરામિક ઉદ્યોગપતિ ગુમ


SHARE











મોરબીના રવાપર ગામે રહેતો યુવા સિરામિક ઉદ્યોગપતિ ગુમ

મોરબી નજીકના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં એકતા ટાવરમાં રહેતો યુવ સિરામિક ઉદ્યોગપતિ કોઈ કારણોસર પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયેલ છે અને તેના મોબાઈલ પણ ઘરે મૂકીને ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને હાલમાં યુવાન ગુમ થયો હોવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવતાં પોલીસે નોંધ કરીને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં આવેલા એકતા ટાવરમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (36) પોતાના ઘરેથી ગઈ તા.૮ ના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં કોઈને કશું કહ્યા વગર નીકળ્યા હતા અને આ યુવાન ઘરેથી ગયો ત્યારે તેના મોબાઇલને પણ ઘરે જ મૂકીને ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને ઘરેથી ગયા પછી આ યુવાન ઘરે પરત આવેલ નથી જેથી કરીને યુવાન ગુમ થઈ ગયેલ હોય પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા (૩૭) રહે. ઉમિયાનગર વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા ગુમ થયા હોવા અંગેની ગુમશુધા ફરિયાદ નોંધાવતા પોલીસે નોંધ કરીને ગુમ થઈ ગયેલા યુવા સિરામિક ઉદ્યોગપતિને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે

યુવાનનું મોત

મોરબી નજીકના સજનપરથી રવાપર આવતા રોડ ઉપર આવેલ એડન હિલ્સ રોયલ એવન્યુ પાછળના ભાગમાં રહેતા રવિભાઈ દિલીપભાઈ ઓઝાને હાર્ટ એટેક આવતા તેઓનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News