તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતો યુવા સિરામિક ઉદ્યોગપતિ ગુમ


SHARE











મોરબીના રવાપર ગામે રહેતો યુવા સિરામિક ઉદ્યોગપતિ ગુમ

મોરબી નજીકના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં એકતા ટાવરમાં રહેતો યુવ સિરામિક ઉદ્યોગપતિ કોઈ કારણોસર પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયેલ છે અને તેના મોબાઈલ પણ ઘરે મૂકીને ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને હાલમાં યુવાન ગુમ થયો હોવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવતાં પોલીસે નોંધ કરીને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં આવેલા એકતા ટાવરમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (36) પોતાના ઘરેથી ગઈ તા.૮ ના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં કોઈને કશું કહ્યા વગર નીકળ્યા હતા અને આ યુવાન ઘરેથી ગયો ત્યારે તેના મોબાઇલને પણ ઘરે જ મૂકીને ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને ઘરેથી ગયા પછી આ યુવાન ઘરે પરત આવેલ નથી જેથી કરીને યુવાન ગુમ થઈ ગયેલ હોય પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા (૩૭) રહે. ઉમિયાનગર વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા ગુમ થયા હોવા અંગેની ગુમશુધા ફરિયાદ નોંધાવતા પોલીસે નોંધ કરીને ગુમ થઈ ગયેલા યુવા સિરામિક ઉદ્યોગપતિને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે

યુવાનનું મોત

મોરબી નજીકના સજનપરથી રવાપર આવતા રોડ ઉપર આવેલ એડન હિલ્સ રોયલ એવન્યુ પાછળના ભાગમાં રહેતા રવિભાઈ દિલીપભાઈ ઓઝાને હાર્ટ એટેક આવતા તેઓનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News