મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહેનત અને ખંતથી ઉજ્જવળ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન આગામી તા.૩૧-૭ ના રોજ કરવામાં આવ્યું છે.તેમજ 'સરસ્વતી સન્માન' કાર્યક્રમના નેજા હેઠળ ધો.૧ થી ૧૨ ના છાત્રોને સન્માનિત કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખે યાદીમાં જણાવ્યા અનુસાર ધો.૧ થી ૯ ના જે વિદ્યાર્થીઓએ ૮૦ ટકા અને ધો.૧૦ થી ૧૨ માં ૭૦ ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય તેઓએ માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૦-૭ થી ૨૩-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.

વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

રામાનંદી સાધુ સમાજ દ્વારા ભારે પરિશ્રમથી ભણાવીને જીવનનો નવો રાહ ચિંધનારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે તા.૧૭-૭ ના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના આ વડીલોનું સન્માન કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર, સમાજના ૭૫ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સીટીઝનોઓ પોતના ઉંમરના પુરાવા સ્વરૂપે આધારકાર્ડ કે જન્મનો દાખલો તેમની અરજી સાથે રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૫-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.ઉપરોકત બંને બાબતો માટેની વધુ માહીતી માટે મોબાઈલ નં.૯૮૭૯૯ ૯૩૭૦૫ અથવા ૭૦૫૯૦ ૯૭૦૦૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News