મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

માળિયા (મી.) માં તમામ પેસેન્જર ટ્રેનને સ્ટોપ આપવાની માંગ


SHARE











માળિયા (મી.) માં તમામ પેસેન્જર ટ્રેનને સ્ટોપ આપવાની માંગ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવેલ છે કે,

મોરબી જીલ્લામાં માળિયા (મિં.) તાલુકો આવેલ છે.જે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતું મુખ્ય સેન્ટર છે.અહીં મીઠા ઉદ્યોગ તેમજ માછીમારી ઉદ્યોગ વિકસેલા છે.જો કચ્છમાંથી આવતી જતી બધી જ ટ્રેનને માળિયા (મિં.) ખાતે સ્ટોપ આપવામાં આવે તો અહીંના લોકો તેમજ મોરબીના લોકોને પણ મોટી સુવિધા મળે તેમ છે માટે રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં યોગ્ય રજુઆતો કરીને અહિં સ્ટોપેજ આપવા યોગ્ય કરવા માંગ કરાયેલ છે.તે ઉપરાંત કોરોનાને કારણે બંધ થયેલ ડેમુ ટ્રેઈન કેજે રાજકોટથી માળિયા સુધી આવતી હતી તેને ફરીથી ચાલુ કરવા પણ તેઓએ માંગણી કરેલ છે.તો લોક સુખાકારી કાજે આ બાબતે યોગ્ય કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવેલ છે.






Latest News