મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે અપૂર્વમુનીસ્વામીનો સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે અપૂર્વમુનીસ્વામીનો સેમિનાર યોજાયો

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરબીના તમામ ડોક્ટરોની MEDICO SPIRITUAL CONFERENCEનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્વસ્થ સમાજના સર્જક એટલે ડોક્ટર. તેઓ પોતાના પ્રોફેશનને પરફેક્ટ બનાવી શકેસાથે સાથે પોતાના સ્વજનોના સંબંધોને વધુ સારી રીતે સાચવી શકે તે આ MEDICO SPIRITUAL CONFERENCEનો મુખ્ય હેતુ હતો.

 આ કોન્ફરન્સમાં મોરબીમાં રહીને સત્સંગ પ્રવૃતિ કાર્યકર્તા હરિસ્મરણસ્વામિએ પ્રાસગિંક ઉધ્બોધ્ન કર્યું હતું અને ત્યાર બાદ અપૂર્વમુનીસ્વામીએ પોતાની વિદ્વતા સભર શૈલીમાં ડોક્ટરોના પારિવારીક તેમજ વ્યવસાયક જીવનમાં આવતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જીવન સફળતા અંગે તો બધા વાતો કરે પણ નિષ્ફળતા મળે ત્યારે તેને કઈ રીતે મેનેજ કરવી તે અંગે જણાવ્યુ હતું વધુમાં અપૂર્વમુનીસ્વામીએ ‘ART OF KARMA ’ વિષય પર કહ્યું હતું કે, પ્રામાણિક પ્રેકટીસની પ્રોફેશનમાં ખૂબ જરૂર છે. પ્રામાણિક પ્રેક્ટીસ સાથે શુદ્ધ હ્રદયની પ્રાર્થનાથી સારવાર સફળ થાય છે. તેમજ વ્યસનમુક્ત અને ઈર્ષામુક્ત જીવન બનાવીએ, સફળતા અને નિષ્ફળતામાં સ્થિર રહેવા માટે મંદિરે જવું ખૂબ જરૂરી, ડોક્ટર્સ માટે શારીરિક સ્વાસ્થ્ય-માનસિક સ્વાસ્થ્ય-સામાજીક સ્વાસ્થ્ય-આધ્યાત્મિક સ્વાસ્થ્ય રહેવું અનિવાર્ય છે આ કોન્ફરન્સના અંતમાં ઉપસ્થિત મહેમાનોનું સંતો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ૩૫૦થી વધુ ડોક્ટર્સ તેમજ રાજકીય આગેવાનોવિવિધ ક્ષેત્રોના આગેવાનો સહિત ૧૫૦૦થી વધુ લોકો આવ્યા હતા

 

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા બ્રિજેશભાઈ મેરજાપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયામોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયામોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરીયાભાજપ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયામોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવરકિશાન મોરચા કોષાધ્યક્ષ કે.કે. પરમારભાવેશ કંજારિયા તથા સિરામિક એસો. ના પ્રમુખ કિરીટભાઈ પટેલમુકેશભાઇ કુંડારિયાવિનોદભાઈ ભાડજા અને હરેશભાઈ બોપલિયા તેમજ માજી પ્રમુખ કે.જી. કુંડારીયાજગદીશભાઈ વરમોરાઅરવિંદભાઈ જીવાણીમનુભાઈ ફેફરચતુરભાઈ પાડલીયાગીરીશભાઈ સુવારીયાકિશોરભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા તેમજ ડોક્ટર સેલના પ્રમુખો ડો.બાવરવા (IMA પ્રેસિડેંટ)પૂર્વ પ્રમુખ ડો.વિજયભાઈ ગઢીયાડો.હિતેશભાઈ પટેલ,  ડો.ચિન્મયભાઈ ત્રિવેદીડો.જયેશ સનારીયાડો.ભાવેશ ઠોરીયાડો.નિલેશ કાવરડો.જીતેશ દઢાણીયાડો.પ્રમિત ભોરણીયઆરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેસિયાઉત્સવભાઈ દવે, ભરતભાઈ બોપલિયાસુભાષભાઈ દેત્રોજાડી.એલ. રંગપરિયાશામજી રંગપરિયા મનોજભાઇ ઓગણજાપી.ડી. કાંજીયાહર્ષદભાઈ ગામીનિલેષભાઈ કુંડારિયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા






Latest News