મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા


SHARE











વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં ગત તા ૨૬ ના રોજ મોડી રાતે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે વાંકાનેરની આસપાસના વિસ્તારમાં પણ પવન અને વરસાદ હોવાથી ઘણી નુકસાની થઈ હતી દરમિયાન ધરમનગર ગ્રામ પંચાયત કચેરી હેઠળ આવતા વિસ્તારમાં રહેતા પનારા ચતુરભાઈ છન્નાભાઈ, ભાવેશભાઈ ગોરધનભાઈ, ધીરાભાઈ રતાભાઇ, ગોરધનભાઈ હમીરભાઇ, રાજેશભાઈ ધીરુભાઈ, સંજયભાઈ ધીરુભાઈ, વશરામભાઈ નાજાભાઇ, અશોકભાઈ નાજાભાઇ, જેસાભાઇ ભલાભાઇ, દિનેશભાઈ નાજાભાઇ અને કલાભાઈ વગેરેના ઘરના નળિયા પણ ભારે પવનના કારણે ઉડી ગયા હતા અને આ બાબતની જાણ તલાટી મંત્રીને કરવામાં આવતા ધરમનગર ગ્રામ પંચાયતના તલાટી સ્થળ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સ્થળ ઉપર થયેલ નુકસાનીનો રિપોર્ટ પણ તાલુકા વિકાસ અધિકારી વાંકાનેરને કરી આપ્યો હતો તેમ છતાં હજુ સુધી જે લોકોને નુકસાન થયું છે તેને કોઈ પણ પ્રકારનું વળતર સરકાર તરફથી મળેલ નથી. જેથી કરીને સરકાર તરફથી મળવા પાત્ર થતું વળતર નુકસાની થયેલા તમામ પરિવારોને ચૂકવવામાં આવે તેવી લાગણી અને માગણી સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે






Latest News