મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ


SHARE











મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ

સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તેમના કુળદેવી શ્રી ભવાની માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અને ભક્તિમય યજ્ઞ આગામી તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬, બુધવાર (ચૈત્ર સુદ ૧૪) ના રોજ મોરબી સ્થિત નહેરુ ગેટ પાસે આવેલા કુળદેવી શ્રી ભવાની માતાજીના મંદિરે હર્ષોલ્લાસ સાથે યોજાશે.

આ ધાર્મિક કાર્યક્રમની રૂપરેખા મુજબ, યજ્ઞના દિવસે સવારે ૮:૩૦ કલાકે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન વિધિનો મંગલ પ્રારંભ કરવામાં આવશે.ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે યજ્ઞમાં બીડું હોમાશે.હવનની પૂર્ણાહુતિ બાદ બપોરે ૧૨:૪૫ કલાકે સમસ્ત ભોજાણી પરિવારના સભ્યો માટે સમૂહ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે.આ પાવન પ્રસંગે સૌરાષ્ટ્રભરમાં વસતા ભોજાણી પરિવારના તમામ સભ્યોને સપરિવાર હાજરી આપી માતાજીના દર્શન, યજ્ઞ અને મહાપ્રસાદનો ધર્મલાભ લેવા માટે આયોજકો દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ અંગેની વધુ માહિતી મેળવવા માટે મો. ૯૦૩૩૩ ૦૫૧૧૨ ઉપર સંપર્ક કરવા આયોજનકર્તાઓએ એક યાદીમાં જણાવ્યું છે.






Latest News