મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોના પાકને બચાવા માટે સિચાઈનું પાણી આપતી સરકારનો આભાર: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબી-માળીયાના ખેડૂતોના પાકને બચાવા માટે સિચાઈનું પાણી આપતી સરકારનો આભાર: કાંતિભાઈ અમૃતિયા

મોરબી જીલ્લામાં આવેલા નર્મદની ત્રણેય કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોએ કરેલ વાવણી બચી શકે તેમ હતી જેથી કરીને માજી ધારાસભ્ય દ્વારા આ મુદે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને સરકારે હાલમાં આ ત્રણેય કેનાલમાં પાણી છોડતા માજી ધારાસભ્યએ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે

મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોના હામી, ખેડૂતો માટે છેક માર્કેટીંગ યાર્ડની જમીનથી શરૂ કરી, નવા ડેમ, તળાવો ઊંડા ઉતારવા, બોરી બંધ બનાવવા કે કેનાલ દ્વારા છેલ્લા ખેતર સુધી પાણી પહોંચાડવા સતત અવિરત કાર્યરત માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોની વાવણી નિષ્ફળ ન જાયએ માટે સરકાર, સંગઠન અને અધિકારી સ્તર પર રજુઆત કરી હતી અને વર્ષોના અનુભવનો નિચોડ લઈને આ વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં પાણી લઈ આવવાના ભગીરથ પ્રયત્નો સફળ રહ્યા છે અને તેમણે એવો આશાવાદ પણ પ્રગટ કર્યો છે કે વરસાદ પણ આવશે અને ખેડૂતોની વાવણી નિષ્ફળ નહીં જાય. કેનાલોમાં પાણી છોડવા બદલ કાંતિભાઈ અમૃતિયાએ ગુજરાત સરકારનો, સંગઠનનો, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાનો, પૂર્વ મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા અને આ અભિયાનમાં જેઓએ નાનો સરખો પણ પ્રયત્ન કર્યો હોયએ તમામ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરેલ છે.






Latest News