મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રેલવે ટ્રેનને ઉથલાવવાના પ્રયાસમાં બે આરોપીની ધરપકડ


SHARE











વાંકાનેર નજીક રેલવે ટ્રેનને ઉથલાવવાના પ્રયાસમાં બે આરોપીની ધરપકડ

વાંકાનેર મોરબી વચ્ચે રેલવે ટ્રેક ઉપર ઇંટોની કાચી દીવાલ બનાવીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેની ફરિયાદ નોંધાઈ હતી અને તેના આધારે આરોપીને પકડવા માટે તેને તપાસ કરવામાં આવી હતી દરમિયાન હાલમાં આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન, વીકલી ટ્રેન અને માલગાડી હાલમાં દોડાવવામાં આવી રહી છે તે દરમિયાન રેલવેની આ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને 16 તારીખે રાત્રી દરમિયાન વાંકાનેર નજીક આવેલા ઓવરબ્રિજ પાસે મોરબી થી સાબરમતી તરફ જવા માટે પસાર થતી ખાલી ડેમુ ટ્રેન રીપેરીંગ કામ માટે  તરફ જઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક ઉપર ઈટોની કાચી દિવાલ ત્રણ ફૂટની બનાવવામાં આવી હતી તેની સાથે ટ્રેન અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યાં કોઇ હાજર ન જોવા મળતા આ બનાવ અંગેની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી રેલવે પોલીસમાં ગુનો પણ નોંધાયો હતો અત્રે ઉલેખનીય છે કે, દોઢસો જેટલી ઇંટો અને રેલવે ટ્રેક ઉપર મુકીને ત્રણ ફૂટની દિવાલ બનાવી હતી જેથી રેલવે વિભાગ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે ટ્રેક ઉપર ઈંટોની કાચી દિવાલ બનાવનારને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનામાં પોલીસે અકબર ઉર્ફે હક્કો દાઉદ મોવર જાતે મિયાણા (35) રહે. મિલ પ્લોટ વાંકાનેર અને મગન લક્ષમણ ઇલોરી જાતે કોળી (33) રહે. ચંદ્રપુર વાંકાનેકની ધરપકડ કરી છે અને ઉત્તર પ્રદેશ સરકારે બુલડોઝરો ચલાવ્યા હોવાથી તેનો રોષ રાખીને અકબરે રેલવે ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ કર્યુ હતુ






Latest News