મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે બહુમાળીમાં ૧૦માં માળેથી નીચે પટકાતાં મજૂરનું મોત


SHARE











મોરબીના એસપી રોડે બહુમાળીમાં ૧૦માં માળેથી નીચે પટકાતાં મજૂરનું મોત

મોરબી નજીકના રવાપર ગામ પાસે રામકો બંગલોની સામેના ભાગમાં નવા બની રહેલ બહુમાળી બીલ્ડીંગમાંથી દસમા માળેથી નીચે પટકાતા મજૂર યુવાનનું મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામ પાસે રામકો બંગલોની સામે સરદાર પટેલ રોડ (એસપી રોડ) આવેલ છે જ્યાં ઇડન ગાર્ડન એપાર્ટમેન્ટનું ૧૦ માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ઝુલો બાંધીને પ્લાસ્ટરનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક ઝુલો તૂટી પડતા ૧૦ માં માળેથી પીરારામ અમરારામ જાટ (ઉંમર ૩૧) હાલ રહે.મોરબી રવાપર ગામ રામકો બંગલો સામે ઝૂંપડપટ્ટી મુળ રહે.રાજસ્થાનવાળો નીચે પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોય મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડાયો હતો.જયાંથી બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરાતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ અકસ્માતના બનાવની નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં બ્રાહ્મણની ભોજનશાળા પાસે રહેતાં જુસબભાઈ બચુભાઈ ચાનીયા નામના ૬૦ વર્ષના આધેડ બાઇક લઇને રાજકોટ હાઈવે ઉપરથી જતા હતા ત્યાં ટંકારા નજીક આવેલ ઓનેસ્ટ હોટલની પાસે તેમના બાઇકની આડે કોઈ પશુ ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા જુસબભાઈને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

જ્યારે મોરબીના પંચાસર રોડ રાજનગર વિસ્તારમાં રહેતા પ્રમોદભાઈ ભગવાનદાસભાઈ સિધ્ધપુરા નામના ૭૬ વર્ષીય વૃદ્ધ મોરબીના સામાકાંઠે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇકમાંથી નિચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા પ્રમોદભાઈ સિધ્ધપુરાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ૨૫ વારિયા વિસ્તારમાં રહેતા કંચનબેન નિલેશભાઈ ચુડાસમા નામના ૫૨ વર્ષીય મહિલાને તેમના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News