મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના સીંધાવદર ગામેથી યુવતી ગુમ, તપાસ ચાલુ 


SHARE















મોરબીના સીંધાવદર ગામેથી યુવતી ગુમ, તપાસ ચાલુ 

મોરબીના વાંકાનેર તાલુકામાં આવતા સીંધાવદર ગામે પરિવાર સાથે રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હોવાથી હવે પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના સીંધાવદર ગામે રહેતા નાગજીભાઈ કાનજીભાઇ મકવાણા (ઉમર ૬૧) એ પોલીસને જાણ કરી જણાવ્યું હતું કે, તેમની દીકરી જાગૃતિબેન નાગજીભાઈ મકવાણા (ઉમર ૩૧) રહે. સીંધાવદર વાળી ગત તા.૧-૭ ના રોજ દશથી બાર વાગ્યાના અરસામાં તેમના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નિકળી ગયેલ હોય અને ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો પત્તો લાગ્યો ન હોય જેથી અંતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મૌમજીભાઇ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા જાગૃતીબેન પહેરેલ કપડે ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નીકળી ગયા છે અને આધારકાર્ડ સાથે લઈ ગયા હોય પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા કરણસિંહ પુનમસિંહ મેસાણીયા નામના ૧૮ વર્ષના યુવાનને બેલા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લઈ જવાયો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ લાઇન્સનગર વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન શાહરૂખભાઈ કાસમાણી (૨૦) નામની મહિલાને સાસરિયામાં મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લઈ જવામાં આવી હતી.

શોટ લાગતા સારવારમાં

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને શોટ લાગતા સારવારમાં ખસેડાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાતીપ્લોટ શેરી નંબર-૩ માં રહેતા ખુમાનસિંહ જોરૂભા જાડેજા નામના ૪૧ વર્ષીય યુવાનને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેમણે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના સબળસિંહ સોલંકીએ તપાસ હાથ ધરી છે.






Latest News