મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના સીંધાવદર ગામેથી યુવતી ગુમ, તપાસ ચાલુ 


SHARE











મોરબીના સીંધાવદર ગામેથી યુવતી ગુમ, તપાસ ચાલુ 

મોરબીના વાંકાનેર તાલુકામાં આવતા સીંધાવદર ગામે પરિવાર સાથે રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હોવાથી હવે પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના સીંધાવદર ગામે રહેતા નાગજીભાઈ કાનજીભાઇ મકવાણા (ઉમર ૬૧) એ પોલીસને જાણ કરી જણાવ્યું હતું કે, તેમની દીકરી જાગૃતિબેન નાગજીભાઈ મકવાણા (ઉમર ૩૧) રહે. સીંધાવદર વાળી ગત તા.૧-૭ ના રોજ દશથી બાર વાગ્યાના અરસામાં તેમના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નિકળી ગયેલ હોય અને ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો પત્તો લાગ્યો ન હોય જેથી અંતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મૌમજીભાઇ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા જાગૃતીબેન પહેરેલ કપડે ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નીકળી ગયા છે અને આધારકાર્ડ સાથે લઈ ગયા હોય પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા કરણસિંહ પુનમસિંહ મેસાણીયા નામના ૧૮ વર્ષના યુવાનને બેલા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લઈ જવાયો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ લાઇન્સનગર વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન શાહરૂખભાઈ કાસમાણી (૨૦) નામની મહિલાને સાસરિયામાં મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લઈ જવામાં આવી હતી.

શોટ લાગતા સારવારમાં

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને શોટ લાગતા સારવારમાં ખસેડાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાતીપ્લોટ શેરી નંબર-૩ માં રહેતા ખુમાનસિંહ જોરૂભા જાડેજા નામના ૪૧ વર્ષીય યુવાનને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેમણે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના સબળસિંહ સોલંકીએ તપાસ હાથ ધરી છે.






Latest News