મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા વિશ્વ વસ્તીદિને સ્પર્ધાનું આયોજન


SHARE











મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા વિશ્વ વસ્તીદિને સ્પર્ધાનું આયોજન

આગામી તા.૧૧ જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિવસ અનુસંધાને વસ્તી વધારો દરેક સમસ્યાની જનની  છે. એ વિષય પર ઘરે બેઠાં વક્તુત્વ સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્રારા તા.૧૧-૭ વિશ્વ વસ્તી દિવસનાં અનુસંધાને વસ્તી વધારો દરેક સમસ્યા ની જનની છે તે વિષય ઉપર કેટેગરી મુજબ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા ઘરે બેઠાં વિડીયો બનાવી ભાગ લેવાંનો રહેશે.

તા.૧૧ જુલાઈનો દિવસ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાય છે. આગામી ઈ.સ. ૨૦૨૫ સુધીમાં સમગ્ર વિશ્વની વસ્તી આઠ અબજના આંકને પાર કરી જવાની છે.તો એકલા ભારતની વસ્તી ઈ.સ.૨૦૨૫ સુધીમાં ૧.૭ અબજના આંકને આંબી જવાની છે ત્યારે સમગ્ર વિશ્વમાં આજે વસ્તી વિસ્ફોટ એક મુખ્ય સમસ્યા બની ગઈ છે ત્યારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી, હરિયાળી જેવા મુદ્દે વસ્તી વિસ્ફોટ આડઅસર કરે છે.ભારતમાં જાગૃતિ જરુરી છે. ભારતની વસ્તીનો વૃદ્ધિ દર ૧૭.૬૪ ટકાનો રહ્યો છે. ઈ.સ. ૨૦૦૧ થી ઈ.સ. ૨૦૧૧ સુધીમાં એક બ્રાઝિલ દેશ જેટલી વસ્તીનો ભારતમાં વધારો થયો ! આરોગ્યનો પ્રશ્ન વસ્તી વૃદ્ધિ દર સાથે સીધો સંકળાયેલો છે.વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા શું કરી શકાય ? ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવો હોય તો સૌ પ્રથમ તો ગ્રામ્ય કક્ષાએ ખાસ તો બહેનોમાં શિક્ષણનું પ્રમાણ વધારવું ઉપરાંત માથાદીઠ આવક વધારવી જેથી આવક વધારવા માટે દંપત્તિઓ વધુ બાળકોને પેદા ન કરે. આ ઉપરાંત શહેરીકરણ વધશે તો વૃદ્ધિ દર ઘટશે. લગ્ન વય પણ થોડી મોડી થશે તો બાળકોનું પ્રમાણ ઘટી શકે. બાળ મૃત્યુ દર પણ ઘટાડવો જરૂરી છે. આ વક્તુત્વ સ્પર્ધામાં  કેટેગરી  મુજબ વસ્તી વધારો દરેક સમસ્યા ની જનની છે વિષયનાં અનુસંધાને  વિડીયોગ્રાફી કરીને તા.૧૧ ના રાતના નવ વાગ્યા પહેલા મો.નં.98249 12230, 87801 27202, 97279 86386 માંથી કોઇ એક નંબર ઉપર વૉટસએપ નંબર ઉપર મોકલી આપવાના રહેશે તેમ સંચાલક એલ.એમ.ભટ્ટ તેમજ દિપેન ભટ્ટે યાદીમાં જણાવેલ છે.






Latest News