મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસી ફાટક પાસે દાઝી ગયેલ અજાણ્યો પુરુષનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરના વઘાસી ફાટક પાસે દાઝી ગયેલ અજાણ્યો પુરુષનું સારવારમાં મોત

વાંકાનેરના વઘાસી ફાટક પાસે અજાણ્યો પુરુષ દાઝી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતક આધેડની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વઘાસીયા ફાટક પાસે અજાણ્યા ૫૦ વર્ષનો પુરુષ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેરમાં જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને રાજકોટ તેને લઈને પહોંચ્યા ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને અજાણ્યા પુરૂષના મૃત્યુના બનાવની નોંધ કરીને વાંકાનેર સીટી પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

બિનવારસી વાહનો મળી આવ્યું

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેરમાં આવેલ નર્સરી ચોકડી પાસેથી મોટરસાયકલ નંબર જીજે ૩૬ ડી ૭૫૭૫ કિંમત રૂપિયા ૨૦ હજારનું બીન વારસી હાલતમાં મળી આવ્યુ હતુ.જેથી હાલ વાંકાનેર સીટી પોલીસે ઉપરોકત નંબરનું બાઈક જપ્ત કરેલ છે અને જો કોઈને પણ આ અંગે કોઇ જાણ હોય તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને અથવા તપાસ ચલાવી રહેલા હીરાભાઈ મઠીયાનો સંપર્ક કરવા જણાવવામાં આવેલું છે.

યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો અને લાલપર ગામની પાસે ઓટો ગેરેજ ચલાવતો વિપુલ ભવાનભાઈ સોલંકી નામનો ૩૦ વર્ષીય યુવાન તેના લાલપરના ઓટો ગેરેજ ખાતે ભુલથી કોલ્ડડ્રીંક સમજીને કેમીકલ પી જતા તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ઘુંટુ ગામે રહેતા ધીરૂભાઈ શંકરભાઈ સરવૈયા નામના ૨૬ વર્ષીય યુવાનને લાલપર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News