મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત


SHARE











મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ઉમિયા નગર સોસાયટીમાં રહેતી પરિણીતા પોતાના ઘેર અંરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજયુ હતું જે બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

પોલીસે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન રોહિતભાઈ છનીયારા જાતે પટેલ નામની ૩૪ વર્ષીય પરિણીતા તેના ઘેર રહેણાંક મકાનમાં અંરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી ચંદ્રિકાબેન છનિયારાનું મોત નીપજ્યું હતું અને તેની ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતા એ.પી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક પરિણીતાને માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને લગ્નગાળો નવ વર્ષનો હતો અને તેને બે સંતાન હોવાનું જાણવા મળેલ છે.

 ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારા ખાતે ઉત્તમભાઈ દુબરીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતાં સુનિલ જુવાનસીંગ ડાવર આદિવાસી નામના ૨૨ વર્ષીય યુવાને વાડી નજીક બારનાળ પુલ પાસે ઝેરી દવા પી લેતા તેને અહીં મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકનાં હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જેમાં ભૂલથી સુનિલભાઈ દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે અને હાલ મોરબી પોલીસે જાણ કરતાં ટંકારા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે જ્યારે માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામે રહેતા નાનતાબેન માભાઈ ભીલ નામની ૨૦ વર્ષીય યુવતીએ સીમ વિસ્તારમાં જીરામાં છાંટવાની દવા કોઈ કારણોસર પી લેતાં તેણીને પણ મોરબી સિવિલએ સારવારમાં લાવવામાં આવી હતી જે અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






Latest News