મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત


SHARE











મોરબીમાં ઘરમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ઉમિયા નગર સોસાયટીમાં રહેતી પરિણીતા પોતાના ઘેર અંરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજયુ હતું જે બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

પોલીસે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન રોહિતભાઈ છનીયારા જાતે પટેલ નામની ૩૪ વર્ષીય પરિણીતા તેના ઘેર રહેણાંક મકાનમાં અંરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાથી ચંદ્રિકાબેન છનિયારાનું મોત નીપજ્યું હતું અને તેની ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતા એ.પી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક પરિણીતાને માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને લગ્નગાળો નવ વર્ષનો હતો અને તેને બે સંતાન હોવાનું જાણવા મળેલ છે.

 ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારા ખાતે ઉત્તમભાઈ દુબરીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતાં સુનિલ જુવાનસીંગ ડાવર આદિવાસી નામના ૨૨ વર્ષીય યુવાને વાડી નજીક બારનાળ પુલ પાસે ઝેરી દવા પી લેતા તેને અહીં મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકનાં હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જેમાં ભૂલથી સુનિલભાઈ દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે અને હાલ મોરબી પોલીસે જાણ કરતાં ટંકારા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે જ્યારે માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામે રહેતા નાનતાબેન માભાઈ ભીલ નામની ૨૦ વર્ષીય યુવતીએ સીમ વિસ્તારમાં જીરામાં છાંટવાની દવા કોઈ કારણોસર પી લેતાં તેણીને પણ મોરબી સિવિલએ સારવારમાં લાવવામાં આવી હતી જે અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






Latest News