મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસી ફાટક પાસે દાઝી ગયેલ અજાણ્યો પુરુષનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરના વઘાસી ફાટક પાસે દાઝી ગયેલ અજાણ્યો પુરુષનું સારવારમાં મોત

વાંકાનેરના વઘાસી ફાટક પાસે અજાણ્યો પુરુષ દાઝી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતક આધેડની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વઘાસીયા ફાટક પાસે અજાણ્યા ૫૦ વર્ષનો પુરુષ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેરમાં જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને રાજકોટ તેને લઈને પહોંચ્યા ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને અજાણ્યા પુરૂષના મૃત્યુના બનાવની નોંધ કરીને વાંકાનેર સીટી પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

બિનવારસી વાહનો મળી આવ્યું

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેરમાં આવેલ નર્સરી ચોકડી પાસેથી મોટરસાયકલ નંબર જીજે ૩૬ ડી ૭૫૭૫ કિંમત રૂપિયા ૨૦ હજારનું બીન વારસી હાલતમાં મળી આવ્યુ હતુ.જેથી હાલ વાંકાનેર સીટી પોલીસે ઉપરોકત નંબરનું બાઈક જપ્ત કરેલ છે અને જો કોઈને પણ આ અંગે કોઇ જાણ હોય તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને અથવા તપાસ ચલાવી રહેલા હીરાભાઈ મઠીયાનો સંપર્ક કરવા જણાવવામાં આવેલું છે.

યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો અને લાલપર ગામની પાસે ઓટો ગેરેજ ચલાવતો વિપુલ ભવાનભાઈ સોલંકી નામનો ૩૦ વર્ષીય યુવાન તેના લાલપરના ઓટો ગેરેજ ખાતે ભુલથી કોલ્ડડ્રીંક સમજીને કેમીકલ પી જતા તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ઘુંટુ ગામે રહેતા ધીરૂભાઈ શંકરભાઈ સરવૈયા નામના ૨૬ વર્ષીય યુવાનને લાલપર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News