સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

હળવદના રાતાભેર ગામે વાડીએ ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE











હળવદના રાતાભેર ગામે વાડીએ ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા વીરભદ્રસિંહ ભરતસિંહ ચૌહાણ (ઉમર ૨૫) એ રાતાભેર ગામ પાસે આવેલ તેઓની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વીરભદ્રસિંહ ચૌહાણનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે

યુવાનનો આપઘાત

માળીયા તાલુકાના મોટી બરાર ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં વિપુલભાઈ પુનાભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ માનસિક અસ્થિરતાને કારણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઇ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે અર્ધબેભાન હાલતમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News