મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે બ્રિજ ઉપર બાઇક સ્લીપ થતા યુવાનનું મોત


SHARE











મોરબીના જાંબુડીયા પાસે બ્રિજ ઉપર બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ બ્રિજ ઉપરથી પસાર થતાં બાઈકચાલકનું બાઈક સ્લીપ થવાથી ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર સિનેમાની પાછળના ભાગમાં રહેતા રાજેશભાઈ દાનસંગભાઈ અગેચાણીયા જાતે કોળી ઉંમર 42 પોતાનું બાઇક નંબર જીજે 36 એચ 3400 લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ નજીક બ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને માથામાં અને શરીરે ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મૃતકના દીકરા સીગર અગેચાણીયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત

વાંકાનેર તાલુકાના પલાસડી ગામના પાટિયા પાસેથી હુસેનભાઈ ઉસ્માનભાઈ વકાલીયા ઉંમર 47 પોતાની સાઇકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે 1 આરએ 4619 ના ચાલક અજયભાઈ હસમુખભાઈ સારોલા ઉંમર વર્ષ 30 રહે.કુંભારપરા શેરી નંબર 3 વાંકાનેર વાળાએ તેઓની સાઈકલને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને હુસેનભાઇને હાથમાં અને આંખની ઉપરના ભાગમાં પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હુસેનભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજયભાઈની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News