તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે બ્રિજ ઉપર બાઇક સ્લીપ થતા યુવાનનું મોત


SHARE











મોરબીના જાંબુડીયા પાસે બ્રિજ ઉપર બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ બ્રિજ ઉપરથી પસાર થતાં બાઈકચાલકનું બાઈક સ્લીપ થવાથી ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર સિનેમાની પાછળના ભાગમાં રહેતા રાજેશભાઈ દાનસંગભાઈ અગેચાણીયા જાતે કોળી ઉંમર 42 પોતાનું બાઇક નંબર જીજે 36 એચ 3400 લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ નજીક બ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને માથામાં અને શરીરે ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મૃતકના દીકરા સીગર અગેચાણીયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત

વાંકાનેર તાલુકાના પલાસડી ગામના પાટિયા પાસેથી હુસેનભાઈ ઉસ્માનભાઈ વકાલીયા ઉંમર 47 પોતાની સાઇકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે 1 આરએ 4619 ના ચાલક અજયભાઈ હસમુખભાઈ સારોલા ઉંમર વર્ષ 30 રહે.કુંભારપરા શેરી નંબર 3 વાંકાનેર વાળાએ તેઓની સાઈકલને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને હુસેનભાઇને હાથમાં અને આંખની ઉપરના ભાગમાં પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હુસેનભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજયભાઈની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News