મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨૦ માં મકાન તૂટી પડતાં રાહદારી મહિલાનું મોત, બે ને ઇજા


SHARE











મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨૦ માં મકાન તૂટી પડતાં રાહદારી મહિલાનું મોત, બે ને ઇજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં શેરી નંબ-૨૦ પાસે અચાનક મકાનનો એ ભાગ તૂટીને રસ્તા ઉપર પડ્યો હતો ત્યારે રાહદારી મહિલા ઉપર આ કાટમાળ તૂટી પડવાના કારણે તે મહિલાનું મોત નિપજયું છે અને બે વ્યક્તિઓને ઈજા થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી શહેરના અનેક વિસ્તારોની અંદર જર્જરિત મકાનો અને મોતના મચડા સમાન મકાનો ઊભાં છે જેને તોડી પાડવા માટેની અગાઉ અનેક વખત રજૂઆતો પાલિકામાં કરવામાં આવી છે તેમ છતાં પણ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને આવા મકાન ઘણી વખત નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતા હોય છે આવો જ ઘાટ આજે મોરબી મહેન્દ્રપરા વિસ્તારની અંદર સર્જાયો છે અને આ વિસ્તારની અંદર રહેલી નંબર-૨૦ માં ખૂણા ઉપર આવેલ જર્જરિત મકાનો કાટમાળ ધડાકાભેર તૂટી પડ્યો હતો ત્યારે રસ્તા ઉપરથી પસાર થતી મહિલા ઉપર આ કાટમાળ પડવાના કારણે તેને ગંભીર ઈજા થવાથી જીગ્નાક્ષાબેન અજીમઅલી જીવાણી (૪૫)નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જોકે તેની દીકરી રૂકાશાનાબેન અજીમઅલી જીવાણી (૧૫) અને નીલમબેન અનિશભાઈ જીવાણી (૨૮)ને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે ખસેડાયા છે.






Latest News