મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ૨૨૪ લાભાર્થીઓને ૧૩.૩૭ લાખની સાધન સહાય અર્પણ કરશે


SHARE











મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ૨૨૪ લાભાર્થીઓને ૧૩.૩૭ લાખની સાધન સહાય અર્પણ કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવશે.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરીના જણાવ્યા અનુસાર, આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ધો. ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય અર્પણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ૧૬૭ વિદ્યાર્થિનીઓને ૭,૦૭,૫૭૯ ના ખર્ચે સાયકલ આપવામાં આવશે. કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત ૪૧ લાભાર્થીઓને ૪,૫૮,૦૦૦ સહાય આપવામાં આવનાર છે જ્યારે માનવ ગરીમા યોજના અંતર્ગત નાના ધંધા કે વ્યવસાય માટે સાધન સહાય રૂપે ૧,૭૨,૧૪૯ ના ખર્ચે ૧૬ લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. આમ, ગરીબ કલ્યાણ મેળામાં સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા ૨૨૪ લાભાર્થીઓને ૧૩,૩૭,૭૨૮ના ખર્ચે વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીના આર.આર. શાહની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત અનુસૂચિત જાતિના નાના ધંધાર્થીઓ પોતાનો રોજગાર કરી શકે અને પોતાની આવકમાં વધારો કરી શકે તે માટે માનવ ગરીમા યોજના હેઠળ કુલ ૨૮ ધંધા-વ્યવસાય માટે જુદી-જુદી કીટ્સ આપવામાં આવે છે. ત્યારે આગામી તા. ૨૫/૨ ના ગરીબ કલ્યાણ મેળામાં અનુસુચિત જાતિ કલ્યાણ મોરબી મારફત કુલ ૩૮ અનુસૂચિત જાતિનાં લાભાર્થીઓને ઇલેક્ટ્રીક એપ્લાયસીસ રીપેરીંગ-૮ખેતીલક્ષી લુહારી કામ-૬અથાણા બનાવટ-૧પ્લમ્બર-૧૦ તથા સેન્ટિગ કામ-૧૩ માનવ ગરિમા યોજના હેઠળ કુલ ૫,૦૫,૦૪૦ ની રકમના સાધનોની કીટ્સનું વિતરણ કરવામાં આવશે.




Latest News