મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર હઝરત ખ્વાજા ગરીબે નવાજ ક્રિએટીવ યંગ ગ્રુપ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહલગ્નમાં દીકરીઓને ૧૪૦ વસ્તુઓ ભેટ આપાઈ


SHARE











વાંકાનેર હઝરત ખ્વાજા ગરીબે નવાજ ક્રિએટીવ યંગ ગ્રુપ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહલગ્નમાં દીકરીઓને ૧૪૦ વસ્તુઓ ભેટ આપાઈ

વાંકાનેર મીરૂમિયા બાવાની વાડીના પટાંગણમાં ગઇકાલે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગરના કુલ ૧૧ દુલ્હન અને દુલ્હાઓની નિકાહાખ્વાની પીર ખુરશીદ હૈદર પીરઝાદાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ હતી અને સૌ તમામ દુલ્હાઓને જુમ્મા મસ્જિદ મદીના મસ્જિદ કસ્બા મસ્જિદ એ.કે. મસ્જિદ મૌલ્વી મજીદ અને મસ્જિદના આલીમો નીકાહ પઢાવેલ હતી

આ તકે વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, કાદરી બાપુ ગફારભાઈ, મંત્રી ગફારભાઈ તરીયા, ઈકબાલભાઈ ચૌહાણ, યાસીનખાન પઠાણ, નસરુદ્દીનભાઈ આઝાદ સહિતના આયોજક તથા અગ્રણીઓમા હજરત ખ્વાજા ગરીબે નવાજ ક્રિએટીવ યંગ ગ્રુપના અલ્તાફભાઈ ખલીફા, જુશબભાઈ ભટ્ટી, અશરફભાઈ ખલીફા, ફારૂકભાઇ ખલીફા, અસલમભાઈ પીલુડીયા, સોયબભાઈ ખલીફા, અબદુલભાઇ ભલારા, ઇનુસભાઈ બાદી, ફિરોજભાઈ મકરાણી, સદ્દામભાઈ કાજી, આરીફ સલોત, આરીફ ખલીફા, ગુલાબનબી ખલીફા, રજાકભાઈ તરીયા, જમાલભાઈ ખલીફા, કાસમ હાજી, પીરૂભાઈ મુસ્તાકભાઈ કાજી, પીન્ટુભાઇ જેસાણી, જીતેન્દ્ર ટીનાભાઇ ભલસોડ, હાજી અનવરભાઈ પરાસરા, ઈસ્માઈલભાઈ કડીવાર, ફુરકાન કુરેશી સહિતના તમામ યુવાનોએ સમૂહલગ્નના આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને આ છઠ્ઠા સમૂહલગ્નમાં દુલ્હનને આયોજકો દ્વારા દાતાઓના સહયોગથી કરિયાવરમાં ટીવી, ફ્રીજ, સહિત કુલ ૧૪૦ વસ્તુઓ અને એક ગ્રામ સોનાનો દોરો આપવામાં આવેલ છે

આ સમૂહ લગ્નમાં જુદા જુદા દાતાઓએ રકમ રોકડા પણ આપેલી હતી તો વાકાનેર ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાએ સ્ટીલના વાસણોની ૪૩ જેટલી વસ્તુઓ, ઈરફાન પીરઝાદા તરફથી દુલા દુલ્હન ચાંદીના સિક્કા, ગુરુબંધુ ધર્મ ગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા તરફથી સોનાની ચુકી તથા તેના મિત્ર જેન્તીભાઈ સોની તરફથી પણ સોનાની ભેટ આપવામાં આવી છે આ સમૂહ લગ્ન પ્રસંગે ખુરશીદ હૈદર પીરઝાદાએ  નિકાહ વિધિ બાદ ઈસ્લામી તરીકા મુજબ દુઆ ગુજારી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ખુરશીદ હૈદર પીરઝાદાના યુવાન પુત્ર એડવોકેટ શકીલ પીરઝાદા તથા તેઓના ભાણેજનું પણ સન્માન કરાયું હતું વાંકાનેર શાહબાવા ટ્રસ્ટના ડિરેક્ટર મહંમદભાઈ રાઠોડએ શાહબાવાની તકતીઓ પરણિતાઓને ભેટ આપી હતી






Latest News