મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના આમરણ પાસેથી ૧૧ જીવિત પાડાને કતલખાને લઈ જતી તુફાન સાથે બે શખ્સ પકડાયા, બેની શોધખોળ


SHARE











મોરબીના આમરણ પાસેથી ૧૧ જીવિત પાડાને કતલખાને લઈ જતી તુફાન સાથે બે શખ્સ પકડાયા, બેની શોધખોળ

મોરબીના આમરણ ગામ પાસે બનાવવામાં આવેલ ચેક પોસ્ટ નજીકથી તુફાન ગાડી પસાર થતી હતી ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતાં તે તુફાનમાં ૧૧ જીવિત પાડાને ખીચોખીચ દોરડાથી કૃરતાપુર્વક બાંધી ગાડીમાં લઈ જતાં હતા જેથી કરીને પોલીસે અબોલજીવને કતલખાને લઈ જતાં બચાવીને ગાડીમાં બેઠેલા બે શખ્સોને પકડીને કુલ ૨.૫૫ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને જામનગરના બે શખસોના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના આમરણ ગામ પાસે બનાવવામાં આવેલ ચેક પોસ્ટ નજીકથી પસાર થતી તુફાન ગાડી નંબર જીજે ૧૦ એક્સ ૦૩૬૬ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાથી જીવીત ૧૧ પાડા મળી આવ્યા હતા અને વાહનમાં અબોલજીવ માટે કોઈ પ્રકારની ચારો પાણીની વ્યવસ્થા હતી નહીં અને ૧૧ પાડાને ખીચોખીચ દોરડાથી કૃરતાપુર્વક બાંધી ગાડીમાં લઈ જતાં હતા જેથી કરીને પોલીસે જીવીત ૧૧ પાડા જેની કિંમત ૫૫૦૦૦ તેમજ બે લાખની ગાડી મળીને કુલ ૨,૫૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં તુફાનના ડ્રાઈવર મોહમદ નકીબ અબ્દુલા કુરેશી જાતે પટણી (ઉ.૨૪) અને સલીમભાઇ હસનભાઇ કુરેશી જાતે પટણી (ઉ.૪૦) રહે. બંને ચોપડા ફળી પટણીવાડ ઢોકડ કાડો જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મકસુદ ચાકી રહે. જામનગર અને નજીર સતરભાઇ કસાઇ રહે. કાલાવાડના નાકેજામનગર વાળાના નામ સામે આવેલ છે જેથી આ ચારેય શખ્સોની સામે પશુ પ્રત્યે ઘાતકીપણા એકટ ૧૯૬૦ ની કલમ. ૧૧(૧)(ડી), (ઇ), (એફ), (એચ) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને જે બે આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે 






Latest News