મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની મહેંન્દ્રનગર ચોકડીએ નજીવ વાતમાં બે શખ્સોએ ટ્રાવેલ્સનો મેઇન કાચા તોડી નાખ્યો


SHARE











મોરબીની મહેંન્દ્રનગર ચોકડીએ નજીવ વાતમાં બે શખ્સોએ ટ્રાવેલ્સનો મેઇન કાચા તોડી નાખ્યો

મોરબીમાં મહેંન્દ્રનગર ચોકડી પાસે રોડ પરથી પસાર થતી ટ્રાવેલ્સને રોકીને બે શખ્સો દ્વારા ટ્રાવેલ્સના ડ્રાઈવરને તેના શેઠ સાથે વાત કરવા માટે કહેવામા આવ્યું હતું અને બાદમાં ગાળો આપવામાં આવી હતી અને ધોકો મારીને ટ્રાવેલ્સનો આગળનો કાચા તોડી નાખવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના બાડમેર જીલ્લામાં આવતા ચૌટનમાં રહેતા ઈશરારામ ખેતારામ ગોદારા જાતે જાટ (ઉ.૨૧)એ હાલમાં યુવરાજસિહ મહાવીરસિહ રાણા અને જયદેવસિહ મહાવીરસિહ રાણા રહે. સેન્ટ મેરી સ્કુલ પાછળ રણછોડનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેમહેંન્દ્રનગર ચોકડી પાસે રોડ પર ફરીયાદી પોતાની ટ્રાવેલ્સ રજી. નં. આર.જે. ૩૯ પી.એ. ૧૭૬૭ વાળી લઈને જતા હતા ત્યારે મહેંન્દ્રનગર ચોકડી પાસે આરોપી યુવરાજસિહ મહાવીરસિહ રાણાએ ટ્રાવેલ્સ રખાવી શેઠ સાથે ફોનમા વાત કરાવા બાબતે બોલાચાલી કરી હતી અને ફરિયાદી તેમજ સાહેદને ગાળો આપી હતી તેમજ તેના ભાઈ જયદેવસિહ પાસેથી લાકડાનો ધોકો લઈ ટ્રાવેલ્સનો મેઈન કાચમા ધોકો મારી કાચ તોડી નાખી નુકશાન કરી હતી અને ફરિયાદીને બન્ને આરોપીઓએ જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨)૪૨૭૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર-૩માં રહેતા કાંતીલાલ મોહનભાઈ સાણંદીયા જાતે પટેલ (ઉ.૪૭)એ સી.એન.જી. ઓટો રીક્ષા નં. જીજે ૩૬ યુ ૭૦૪૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેઆરોપીએ પોતાના હવાલા વાળી સી.એન.જી. ઓટો રીક્ષા પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી હતી અને તેના મોટર સાયકલને સામેથી રોંગ સાઈડે આવી ઠોકર મારી હતી જેથી અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીને જમણા પગના ઢીંચણમાં ફેક્ચર થયું છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News