હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે માનવ સેવા અને આરોગ્ય જાગૃતિના ઉમદા હેતુ સાથે નિઃશુલ્ક નિદાન અને દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કેમ્પ મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

મોરબીમાં સ્વ. રમેશભાઈ રંગપડીયાના સ્મરણાર્થે યોજાયેલ આરોગ્ય કેમ્પનો જરૂરિયાતમંદ અને સામાન્ય નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવાનો રહ્યો હતો. કેમ્પ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે દર્દીઓને તેમના રોગ અંગે યોગ્ય સલાહ આપી આગળની સારવાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. ભૌમિક સરડવા, ડો. મેહુલ પનારા, ડો. ધીરેન પટેલ, ડો. અક્ષય જાકાસણીયા, ડો. ઉમેશ ગોધવીયા, ડો. ભાવેશ શેરસીયા, ડો. નિશિથ દઢાણીયા, ડો. વિમલ દેત્રોજા તથા ડો. યશ કડિવાર એ નિઃસ્વાર્થ સેવા આપી હતી. આ ઉપરાંત ડો. પટેલ પેથોલોજી લેબ. દ્વારા મફત બ્લડ સુગર ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન વિવિધ રોગોના નિદાન સાથે આરોગ્ય સલાહ, તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવતા લોકોમાં વિશેષ સંતોષની લાગણી જોવા મળી હતી. આ સેવા કાર્ય દ્વારા સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાના સ્મરણને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી 






Latest News