મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે માનવ સેવા અને આરોગ્ય જાગૃતિના ઉમદા હેતુ સાથે નિઃશુલ્ક નિદાન અને દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કેમ્પ મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

મોરબીમાં સ્વ. રમેશભાઈ રંગપડીયાના સ્મરણાર્થે યોજાયેલ આરોગ્ય કેમ્પનો જરૂરિયાતમંદ અને સામાન્ય નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવાનો રહ્યો હતો. કેમ્પ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે દર્દીઓને તેમના રોગ અંગે યોગ્ય સલાહ આપી આગળની સારવાર માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. ભૌમિક સરડવા, ડો. મેહુલ પનારા, ડો. ધીરેન પટેલ, ડો. અક્ષય જાકાસણીયા, ડો. ઉમેશ ગોધવીયા, ડો. ભાવેશ શેરસીયા, ડો. નિશિથ દઢાણીયા, ડો. વિમલ દેત્રોજા તથા ડો. યશ કડિવાર એ નિઃસ્વાર્થ સેવા આપી હતી. આ ઉપરાંત ડો. પટેલ પેથોલોજી લેબ. દ્વારા મફત બ્લડ સુગર ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન વિવિધ રોગોના નિદાન સાથે આરોગ્ય સલાહ, તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવતા લોકોમાં વિશેષ સંતોષની લાગણી જોવા મળી હતી. આ સેવા કાર્ય દ્વારા સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાના સ્મરણને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી 






Latest News