મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા


SHARE











મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા

મોરબી મહાનગર પાલિકામા પંચાસર રોડ આવેલ છે.આ રોડને સિમેન્ટ કોન્ક્રેટ રોડથી મઢવાનું કામ છ મહિના પહેલા કરવામાં આવેલ હતું.હાલ આ સિમેન્ટ કોન્ક્રેટ રોડમા ગાબડાઓ પડી જવા પામેલ છે.! તો શું ? સિમેન્ટ કોન્ક્રેટ રોડ એટલો સમય જ ટકે ? આવા રોડની લાઈફ કેટલી નક્કી કરેલ હોય છે ?  જેવા પ્રશ્નો સાથે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને પગલાં લેવા માંગ કરી છે.

આ કામ સરકારી પૈસા કે જે લોકોના ટેક્ષ દ્વારા સરકાર પાસે આવતા હોય છે.જે પૈસાથી આવા કામો થતા હોય છે.જો સરકારી પૈસા દ્વારા થતા કામો આવા નબળા થાય તો તેના માટે જવાબદાર કોણ ? આ કામ મંજુર કરનાર અધિકારી, કામ કરાવનાર અધિકારી, કોન્ટ્રાકટર વગેરેની કોઈ જવાબદારી બને છે કે નહિ ?  જો આવું જ ચાલશે તો મોરબીમા બધા જ રોડ દર વર્ષે નવા કરવા પડશે અને જો સરકારના પૈસે  થયેલા રોડ જો આવા બનતા હોય તો આના માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલો સાથે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી.બાવરવા (કે.ડી.બાવરવા) એ વધુમાં જણાવ્યુ છેકે મુખ્યમંત્રી દ્વારા આવા કામની યોગ્ય તપાસ કરાવીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.






Latest News