મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન


SHARE











મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને આ ઓવરબ્રિજનો ત્રાજપર બાજુનો જે છેડો આવવાનો છે તે બાજુ પણ હાલમાં પિલ્લર ઊભા કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે જોકે, જે જગ્યા ઉપર બાંધકામ ચાલી રહ્યું છે તેની બાજુમાં સર્વિસ રોડ વાહનોની અવરજવર માટે થઈને આપવામાં આવ્યો છે પરંતુ તે સર્વિસ રોડ ઉબડ ખાબડ હોવાના કારણે તેમજ ત્યાં લોખંડના સળિયા જમીનમાં ધરબાયેલા છે તેના છેડા બહારના ભાગે હોવાના કારણે વાહન ચાલકોના વાહનોમાં નુકસાની થાય છે અને અવારનવાર ટાયર ફૂટી જવાના પણ બનાવો ત્યાં બનતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટાયરમાં નુકશાન થવાથી વાહન બંધ પડે અને ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતાં હોય છે જેથી કરીને અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ઉબડ ખાબડ સર્વિસ રોડને વહેલી તકે રીપેર કરીને લોકોના વાહનોમાં નુકશાન ન થાય અને વાહનો સરળતાથી ત્યાંથી પસાર થઈ શકે તેવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News