મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન
SHARE
મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને આ ઓવરબ્રિજનો ત્રાજપર બાજુનો જે છેડો આવવાનો છે તે બાજુ પણ હાલમાં પિલ્લર ઊભા કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે જોકે, જે જગ્યા ઉપર બાંધકામ ચાલી રહ્યું છે તેની બાજુમાં સર્વિસ રોડ વાહનોની અવરજવર માટે થઈને આપવામાં આવ્યો છે પરંતુ તે સર્વિસ રોડ ઉબડ ખાબડ હોવાના કારણે તેમજ ત્યાં લોખંડના સળિયા જમીનમાં ધરબાયેલા છે તેના છેડા બહારના ભાગે હોવાના કારણે વાહન ચાલકોના વાહનોમાં નુકસાની થાય છે અને અવારનવાર ટાયર ફૂટી જવાના પણ બનાવો ત્યાં બનતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટાયરમાં નુકશાન થવાથી વાહન બંધ પડે અને ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતાં હોય છે જેથી કરીને અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ઉબડ ખાબડ સર્વિસ રોડને વહેલી તકે રીપેર કરીને લોકોના વાહનોમાં નુકશાન ન થાય અને વાહનો સરળતાથી ત્યાંથી પસાર થઈ શકે તેવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.









