મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બાળ વૈજ્ઞાનિકની અદભૂત શોધ : કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી “સોલાર કાર”નું અનોખું મોડેલ રજૂ કર્યું


SHARE











મોરબીના બાળ વૈજ્ઞાનિકની અદભૂત શોધ : કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી “સોલાર કાર”નું અનોખું મોડેલ રજૂ કર્યું

 

મોરબી નવયુગ વિદ્યાલય ખાતે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” અનુલક્ષીને સાયન્સ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રજૂ કર્યા જેમાં ખાસ કરીને એક બાળ વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરાયેલ કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી બનાવેલ “સોલાર કાર”નું કાર્યરત મોડેલ સૌનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.આ મોડેલ દ્વારા ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

તેમજ પ્રદૂષણ નિવારણ માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ “પોલ્યુશન સોલ્યુશન” મોડેલ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું.આ પ્રોજેક્ટમાં હવામાં વધતા પ્રદૂષણને ઘટાડવા માટે નવીન ઉપાયો અને ટેક્નોલોજી આધારિત વિચાર રજૂ કરવામાં આવ્યો હતો, જેને નિહાળી સૌએ વિદ્યાર્થીની પ્રશંસા કરી હતી.આ સાયન્સ ફેરમાં નમ્રતાબેન (જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી) અશોકભાઈ વડાલીયા (કેળવણી નિરીક્ષક), ધર્મિષ્ઠાબેન કડીવાર, શાળા સંચાલક મંડળના પ્રમુખ  નિલેશભાઈ કુંડારિયા તથા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા ઉપસ્થિત રહ્યા હતાઆ સાયન્સ ફેરમાં ધોરણ૫ થી ૯ ના વિદ્યાર્થીઓએ વર્તમાન સમયને અનુરૂપ નવા પ્રોજેક્ટ બનાવ્યા. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે શિક્ષકોએ સતત મહેનત કરી અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં વધારો કર્યો. વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સાયન્સ ફેરની એક એક કૃતિ નિહાળી હતી અને વિદ્યાર્થીઓ એ કરેલી મહેનત ને વખાણી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા, નિલેશભાઈ અઘારા, પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સંતોકી તેમજ તમામ શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.






Latest News