મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા
SHARE
મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા
મોરબી મહાનગર પાલિકામા પંચાસર રોડ આવેલ છે.આ રોડને સિમેન્ટ કોન્ક્રેટ રોડથી મઢવાનું કામ છ મહિના પહેલા કરવામાં આવેલ હતું.હાલ આ સિમેન્ટ કોન્ક્રેટ રોડમા ગાબડાઓ પડી જવા પામેલ છે.! તો શું ? સિમેન્ટ કોન્ક્રેટ રોડ એટલો સમય જ ટકે ? આવા રોડની લાઈફ કેટલી નક્કી કરેલ હોય છે ? જેવા પ્રશ્નો સાથે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને પગલાં લેવા માંગ કરી છે.
આ કામ સરકારી પૈસા કે જે લોકોના ટેક્ષ દ્વારા સરકાર પાસે આવતા હોય છે.જે પૈસાથી આવા કામો થતા હોય છે.જો સરકારી પૈસા દ્વારા થતા કામો આવા નબળા થાય તો તેના માટે જવાબદાર કોણ ? આ કામ મંજુર કરનાર અધિકારી, કામ કરાવનાર અધિકારી, કોન્ટ્રાકટર વગેરેની કોઈ જવાબદારી બને છે કે નહિ ? જો આવું જ ચાલશે તો મોરબીમા બધા જ રોડ દર વર્ષે નવા કરવા પડશે અને જો સરકારના પૈસે થયેલા રોડ જો આવા બનતા હોય તો આના માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલો સાથે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી.બાવરવા (કે.ડી.બાવરવા) એ વધુમાં જણાવ્યુ છેકે મુખ્યમંત્રી દ્વારા આવા કામની યોગ્ય તપાસ કરાવીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.