મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ


SHARE











વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલ પચ્છેગામ ખાતે ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા 551 કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 22 થી 28 સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે. તા. 26 ને ગુરૂવારના રોજ ગધેથડ ગાયત્રી આશ્રમના સંત લાલબાપુ પચ્છેગામ આવી રહ્યા છે અને ખાસ કરીને સંત લાલબાપુ તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. જેથી મોરબી જિલ્લામાંથી પણ ધર્મપ્રેમી લોકોને ધાર્મિક પ્રસંગ અને પ્રસાદનો લાભ લેવા માટે આહ્વાન કર્યું છે.

આ કાર્યક્રમની સાથે વ્યસન મુક્તિ અભિયાનમાં જે વ્યક્તિ તમાકુ છોડશે તેમને 551 ગાયત્રી મંત્રનું પૂણ્ય અને દારૂનું વ્યસન છોડશે તેમને 1100 ગાયત્રી મંત્રનું પૂણ્ય અર્પણ કરશે અને તેમનો પરિવાર સુખી થાય તે હેતુથી આ અભિયાન રાખવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં વલ્લભીપુર શહેર સહિત તાલુકાના 54 ગામના લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આટલું જ નહીં વલ્લભીપુર શહેર તથા તાલુકામાં ગાયોને નીરણ, કુતરાને લાડુ, પંખીને ચણ, માછલીઓને બુંદીદાણા અને કીડીઓને કીડીયારૂ માટેનો સહયોગ પણ સંત લાલબાપુ તરફથી આપવામાં આવશે. જેથી આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં 20 જિલ્લામાંથી ધર્મપ્રેમી લોકોને જોડાવા માટે અને પ્રસાદનો લાભ લેવા માટે ગાયત્રી આશ્રમના સંત લાલબાપુ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News