મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ


SHARE











વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલ પચ્છેગામ ખાતે ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા 551 કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 22 થી 28 સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે. તા. 26 ને ગુરૂવારના રોજ ગધેથડ ગાયત્રી આશ્રમના સંત લાલબાપુ પચ્છેગામ આવી રહ્યા છે અને ખાસ કરીને સંત લાલબાપુ તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. જેથી મોરબી જિલ્લામાંથી પણ ધર્મપ્રેમી લોકોને ધાર્મિક પ્રસંગ અને પ્રસાદનો લાભ લેવા માટે આહ્વાન કર્યું છે.

આ કાર્યક્રમની સાથે વ્યસન મુક્તિ અભિયાનમાં જે વ્યક્તિ તમાકુ છોડશે તેમને 551 ગાયત્રી મંત્રનું પૂણ્ય અને દારૂનું વ્યસન છોડશે તેમને 1100 ગાયત્રી મંત્રનું પૂણ્ય અર્પણ કરશે અને તેમનો પરિવાર સુખી થાય તે હેતુથી આ અભિયાન રાખવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં વલ્લભીપુર શહેર સહિત તાલુકાના 54 ગામના લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આટલું જ નહીં વલ્લભીપુર શહેર તથા તાલુકામાં ગાયોને નીરણ, કુતરાને લાડુ, પંખીને ચણ, માછલીઓને બુંદીદાણા અને કીડીઓને કીડીયારૂ માટેનો સહયોગ પણ સંત લાલબાપુ તરફથી આપવામાં આવશે. જેથી આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબી જિલ્લા સહિત ગુજરાતનાં 20 જિલ્લામાંથી ધર્મપ્રેમી લોકોને જોડાવા માટે અને પ્રસાદનો લાભ લેવા માટે ગાયત્રી આશ્રમના સંત લાલબાપુ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News