મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: મહિલા સહિત બે સામે ફરિયાદ


SHARE











મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: મહિલા સહિત બે સામે ફરિયાદ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની બહેન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ મળીને બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની 11 વર્ષની સગીર દીકરીને મોરબી તાલુકાના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો અજય ભાંખોડિયા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આરોપી અજય ભાંખોડિયા જેને ભગાડી ગયો હતો તે સગીર હોવાનું જાણતો હતો. છતાં તેનું અપહરણ કરીને લઈ ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ભોગ બનેલ સગીરાની બહેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજય ભાંખોડિયા રહે. લક્ષ્મીનગર અને મનિષાબેન અનિલભાઈ વાલેરા રહે. અમદાવાદ વાળાની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટીમ ચલાવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીમાં અવની પાર્ક પાસે આવેલ પાવરાની વાડીમાં રહેતો તુષારભાઈ અમરશીભાઈ ડાભી (9) નામનો બાળક સાયકલમાં મોમ્સ હોટલની પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન સાયકલમાંથી પડી જવાના કારણે તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે

યુવાન સારવારમાં

મોરબીના સનાળા ગામે રહેતા રગનભાઈ મકિયા (27) નામનો યુવાન પગપાળા ચાલીને રાજપર રોડ ઉપર મારુતિ સુઝુકીના શોરૂમ સામેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેને અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે. 






Latest News