મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત


SHARE













વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતી પરિણીતાને તેના સાસુના આડાસંબંધ જાણ થઈ હતી જેથી કરીને તેને તેના પતિને તે અંગેની વાત કરી હતી ત્યાર બાદ સાસુ અને પતિ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાની માતાએ વાંકાનેટ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા શીતલબેન હરેશભાઈ સોરાણી નામની પરિણીતાએ સાસુ અને પતિના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક મહિલાના માતા પ્રભાબેન રાઘુભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ હરેશ ગોવિંદભાઈ સોરાણી અને વેવાણ લીલાબેન ગોવિંદભાઈ સોરાણી રહે. બંને ઠીકરીયાળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેની દીકરીના લગ્ન પાંચ વર્ષ પહેલા હરેશ સાથે થતાં હતા અને ફરિયાદીની દીકરીને તેના સાસુના આડા સંબંધોની જાણ થઈ ગયેલ હતી જેથી તેણે પોતાના પતિને આ અંગેની વાત કરી હતી ત્યાર બાદ ફરિયાદીને દીકરીને તેના સાસુ અને પતિ દ્વારા શરરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેણે આપઘાત કરેલ છે. વધુમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે, છેલ્લા બે વર્ષથી મૃતક શીતલબેનને નાની નાની વાતમાં મેણા ટોણા મારીને દુખત્રાસ આપતા હતા તેમજ મારકૂટ કરતાં હતા આટલુ જ નહીં તેણે પિયરમાં ફોન પર વાત પણ કરવા દેતા ન હતા જેથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News