મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસ કામો સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરાવવા અધિકારીઓને પ્રભારી મંત્રીની તાકીદ


SHARE











મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસ કામો સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરાવવા અધિકારીઓને પ્રભારી મંત્રીની તાકીદ

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક  ગુજરાતના રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં ખાસ કરીને જીલ્લામાં જે વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે તેને સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરાવવા માટેની અધિકારીઓને પ્રભારી મંત્રી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

આ બેઠકમાં રદ/ ફેરફારના કામોને બહાલી આપવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક શૈક્ષણિક પછાત યોજનાની નવી દરખાસ્તો મંજૂર કરવા તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇના કામોની તથા સાંસદ અને ધારાસભ્યના વિસ્તારના વિકાસ યોજનાના કામોની પ્રભારી મંત્રી સમીક્ષા કરાઈ હતી. તેમજ પૂર્ણ થયેલા તમામ કામો પોર્ટલ ઉપર ચડાવવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રગતિ હેઠળના તથા નવા કામો સમય મર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે તેમજ નવા કામો અને ફેરફાર વાળા કામની દરખાસ્તનો પૂર્ણ અભ્યાસ કરીને રજૂ કરવા જણાવ્યું હતું. અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર  અને આયોજન અધિકારી માંડલિયા  દ્વારા બેઠકનું સંચાલન થયું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર કે.બી. ઝવેરી, મ્યુ.કમિશનર  સ્વપ્નિલ ખરે, એસપી મુકેશ પટેલ, ડીડીઓ નવલદાન ગઢવી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૬ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાલબાગ, મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ ફેબ્રુઆરી સુધીમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે.






Latest News