મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો


SHARE











તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો

મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન જેની કિંમત ૪,૧૩,૦૮૯ તેમજ એક વ્યક્તિનું એક સોનાનું પેન્ડલ જેની કિંમત ૬,૦૦,૦૦૦ તથા બળજબરી પુર્વક કઢાવી લિધેલ સોનાના બીસ્કીટ નંગ ૪ તથા સોનાનો ચેન આમ કુલ મળી ૬૨,૬૩૦૮૯ નો મુદામાલ અરજદારોને પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા એસપી મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ આર.એસ.પટેલ અને તેઓની ટીમ કામ કરી રહી છે તેવામાં મોરબીના લોકોના ખોવાયેલ કે ચોરાયેલા મોબાઈલ માટરજી લઈને તપાસ કરવામાં આવી રહી હતી. દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને ૪,૧૩,૦૮૯ ની કિંમતના મોબાઇલ લોકોને એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવેલ છે.

આ ઉપરના હની ટ્રેપમાં ફસાયેલા ખેડૂત પાસેથી સોનાના ૪ બીસ્કીટ તથા સોનાનો ૧ ચેન પડાવી લીધેલ હતો જેને પોલીસે રિકવર કરેલ હતો તે મુદામાલ ફરિયાદીને પરત આપવામાં આવેલ છે તેમજ સોનાનું એક પેન્ડલ ખોવાયેલ હતું જેને પણ શોધી કાઢવામાં આવેલ હતું. અને જુદાજુદા આસામીઓનો કુલ મળીને ૬૨,૬૩,૦૮૯ નો મુદામાલ પરત આપવામાં આવેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ. પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ, સવજીભાઇ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઈ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવીભાઈ ચૌધરી, જયદિપભાઇ દેવસુર તથા અશ્વીનસિંહ સુર નાઓએ કરેલ છે.






Latest News