ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં માલ સમાન જપ્ત કરવા-મિલકત સીલ કરવા કરતાં વેરાની વસૂલાતમાં ધ્યાન કેન્દ્રિત કરો: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા


SHARE











મોરબીમાં માલ સમાન જપ્ત કરવા-મિલકત સીલ કરવા કરતાં વેરાની વસૂલાતમાં ધ્યાન કેન્દ્રિત કરો: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા

મોરબી મહાપાલિકામાં કમિશ્નરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ટંકારાના ધારાસભ્ય હાજર રહ્યા હતા એન તેઓની હાજરીમાં શહેરમાં ચાલતા અને આગામી સમયમાં જે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ છેલ્લા દિવસોમાં વેપારીઓનો માલ જપ્ત કરવા માટે અને જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદે બંધકામોને રોકવા માટે મિકલતોને સીલ કરવા માટે જે કામગીરી કરવામાં આવી હતી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને આ બેઠકમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી અને મહાપાલિકાની ટિમ દ્વારા વેરાની વસુલાત માટે જે કામગીરી કરવામાં આવે છે તેની સામે ધારાસભ્યએ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને છેલ્લા દિવસોમાં શહેરના મુખ્યમાર્ગ ઉપર વેપારીઓએ તેની દુકાનની બહારના ભાગમાં જે માલ સમાનના પથારા કર્યા હતા તે માલને મનપાની ટીમે જપ્ત કર્યો હતો તે બાબતની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી તેમજ શહેરી વિસ્તારમાં જે મંજૂરી વગરના ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યા છે તે ગેરકાયદે બંધકામોને રોકવા માટે મનપાની ટિમ મિકલતોને સીલ કરી રહી છે તે કામગીરીનો ધારાસભ્યએ વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે, 31/12/24 પહેલા ગ્રામ્ય વિસ્તારમાંથી જે આસામીઓએ બાંધકામ મંજૂરી મેળવી હોય તેઓની મિકલત સીલ કરવામાં આવે તે યોગ્ય નથી. ખાસ કરીને શહેરમાં સમાવેશ કરવામાં આવેલ ગામડાઓમાં મંજુર કરવામાં આવેલા નાણાપંચની ગ્રાન્ટના કામો વહેલી તકે કરાવવામાં આવે અને વેરા વસુલાત કામગીરીમાં અધિકારી અને કર્મચારી દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવું જણાવ્યુ હતું.






Latest News