મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો


SHARE







તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો

મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન જેની કિંમત ૪,૧૩,૦૮૯ તેમજ એક વ્યક્તિનું એક સોનાનું પેન્ડલ જેની કિંમત ૬,૦૦,૦૦૦ તથા બળજબરી પુર્વક કઢાવી લિધેલ સોનાના બીસ્કીટ નંગ ૪ તથા સોનાનો ચેન આમ કુલ મળી ૬૨,૬૩૦૮૯ નો મુદામાલ અરજદારોને પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા એસપી મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ આર.એસ.પટેલ અને તેઓની ટીમ કામ કરી રહી છે તેવામાં મોરબીના લોકોના ખોવાયેલ કે ચોરાયેલા મોબાઈલ માટરજી લઈને તપાસ કરવામાં આવી રહી હતી. દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને ૪,૧૩,૦૮૯ ની કિંમતના મોબાઇલ લોકોને એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવેલ છે.

આ ઉપરના હની ટ્રેપમાં ફસાયેલા ખેડૂત પાસેથી સોનાના ૪ બીસ્કીટ તથા સોનાનો ૧ ચેન પડાવી લીધેલ હતો જેને પોલીસે રિકવર કરેલ હતો તે મુદામાલ ફરિયાદીને પરત આપવામાં આવેલ છે તેમજ સોનાનું એક પેન્ડલ ખોવાયેલ હતું જેને પણ શોધી કાઢવામાં આવેલ હતું. અને જુદાજુદા આસામીઓનો કુલ મળીને ૬૨,૬૩,૦૮૯ નો મુદામાલ પરત આપવામાં આવેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ. પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ, સવજીભાઇ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઈ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવીભાઈ ચૌધરી, જયદિપભાઇ દેવસુર તથા અશ્વીનસિંહ સુર નાઓએ કરેલ છે.






Latest News