વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો


SHARE











તેરા તુજકો અર્પણ: મોરબીમાં પોલીસે સોનાના ૪ બિસ્કીટ, ચેન, પેન્ડલ તેમજ ૨૨ મોબાઈલ સહિત ૬૨.૬૩ લાખનો મુદામાલ મૂળ માલિકને પરત કર્યો

મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન જેની કિંમત ૪,૧૩,૦૮૯ તેમજ એક વ્યક્તિનું એક સોનાનું પેન્ડલ જેની કિંમત ૬,૦૦,૦૦૦ તથા બળજબરી પુર્વક કઢાવી લિધેલ સોનાના બીસ્કીટ નંગ ૪ તથા સોનાનો ચેન આમ કુલ મળી ૬૨,૬૩૦૮૯ નો મુદામાલ અરજદારોને પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા એસપી મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ આર.એસ.પટેલ અને તેઓની ટીમ કામ કરી રહી છે તેવામાં મોરબીના લોકોના ખોવાયેલ કે ચોરાયેલા મોબાઈલ માટરજી લઈને તપાસ કરવામાં આવી રહી હતી. દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી લોકોના ખોવાયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને ૪,૧૩,૦૮૯ ની કિંમતના મોબાઇલ લોકોને એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવીને પરત આપવામાં આવેલ છે.

આ ઉપરના હની ટ્રેપમાં ફસાયેલા ખેડૂત પાસેથી સોનાના ૪ બીસ્કીટ તથા સોનાનો ૧ ચેન પડાવી લીધેલ હતો જેને પોલીસે રિકવર કરેલ હતો તે મુદામાલ ફરિયાદીને પરત આપવામાં આવેલ છે તેમજ સોનાનું એક પેન્ડલ ખોવાયેલ હતું જેને પણ શોધી કાઢવામાં આવેલ હતું. અને જુદાજુદા આસામીઓનો કુલ મળીને ૬૨,૬૩,૦૮૯ નો મુદામાલ પરત આપવામાં આવેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ. પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ, સવજીભાઇ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઈ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવીભાઈ ચૌધરી, જયદિપભાઇ દેવસુર તથા અશ્વીનસિંહ સુર નાઓએ કરેલ છે.






Latest News