મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો

મોરબી જલારામ ધામ ખાતે રામનવમી નિમિતે ત્રિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મહાઆરતી ધામધૂમથી કરવામાં આવી હતી.

સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામ નવમી નિમિતે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા મોરબીમાં આવેલ જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલા પ્રભુ શ્રી રામનું પૂજન ત્યાર બાદ બપોરે 12 કલાકે મહાઆરતી અને ત્યાર બાદ ફરાળ મહાપ્રસાદ યોજાયો હતો. આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી તપનભાઈ દવે તેમજ નિર્મલભાઇ જારીયા સહિતના ભાજપના આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને જલારામ ધામ ખાતે મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જલારામ સેવા મંડળના હોદ્દેદારો ઉપરાંત ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહિતના સમાજના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News