વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE











જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શરૂ કરવામાં આવ્યું હતું અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી ત્યારે સનાતની ભાઈ અને બહેનો મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા અને જય શ્રી રામના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા.

મોરબીમાં રામ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિહિપ, બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો તેમજ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ સર્કિટ હાઉસથી આ શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલા આકર્ષક ફ્લોટ્સશણગારેલા વાહનોબગી વિગેરે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને જેમ જેમ શોભાયાત્રા આગળ વધતી હતી તેમ તેમ સનાતની ભાઈઓ અને બહેનોની સંખ્યામાં સતત વધારો થતો હતો. અને શોભાયાત્રાના રૂટમાં જુદાજુદા સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ શોભાયાત્રામાં બાળકોને શિવરામ અને કૃષ્ણ જેવા પાત્રોની વેશભૂષા સાથે તૈયાર કરીને રાખવામા આવ્યા હતા.

 શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ થઈને મહારાણા પ્રતાપ સર્કલમયુર પુલવીસી ફાટકત્રિકોણ બાગનવા ડેલા રોડજુના બસ સ્ટેન્ડરામ ચોકનવા બસ સ્ટેન્ડબાપા સીતારામ ચોકસીતા ચોકરવાપર રોડચકીયા હનુમાનશાક માર્કેટનેહરૂ ગેટ અને દરબારગઢ પાસે આવેલ રામ મંદિર મહેલ ખાતે રાતે 12 વાગ્યે પૂર્ણ કરવામાં આવશે જો કે, શોભાયાત્રામાં નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. છેલ્લે રાત્રે 12 વાગ્યે દરબારગઢ પાસે રામ મહેલ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી કરવામાં આવશે ત્યાર બાદ રામ જન્મ્પ્ત્સવની શોભાયાત્રા સંપન્ન થશે.






Latest News