વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે


SHARE











મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે

મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડી માતાજીનો નવરંગ માંડવો રાખવામા આવેલ છે અને શ્રી લીલા લીમડાવાળી યુવા ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૮ ને શનિવારે ખાખરેચી દરવાજા પાસે આવેલ મોચી શેરી પાસે શ્રી લીલા લીમડાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા. ૨૮ ને શનિવારે વહેલી સવારે થાંભલી રોપણ કરવામાં આવશે ત્યાર બાદ સવારે ૯: ૩૦ કલાકે ભુવાના સામૈયા, ૧૧:૦૦ કલાકે મહાપ્રસાદ મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર આવેલ શ્રી દેશળદેવ હોલ ખાતે યોજાશે અને સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી ત્યાર બાદ રાત્રે ૯:૦૦ કલાકે ડાક  ડામરનો કાર્યક્રમ યોજાશે જેમાં ટંકારાવાળા રાવળદેવ હરેશભાઈ રાવળ અને રાવળ વિરમભાઇ ડાક રમઝટ બોલાવશે






Latest News