મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પી.જી.વી.સી.એલ.પાવર ચોરીના કેસમાં નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં પી.જી.વી.સી.એલ.પાવર ચોરીના કેસમાં નિર્દોષ છુટકારો

મોરબીમાં પી.જી.વી.સી.એલ.પાવર ચોરીના કેસમાં નિર્દોષ છુટકારો કરવા કોર્ટે હુકમ કરેલ છેે.

આ બાબતે આક્ષેપીત અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયાના એડવોકેટ કરમશીભાઇ પરમારના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકા રૂરલ-૨ સબ ડીવીઝન, પી.જી.વી.સી.એલ. કચેરીએ આરોપી અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયા, રહે.લુણસર તા.વાંકાનેર, જી.મોરબી. સામે પાવર ચોરીની ફરીયાદ કરેલ જે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબ દાખલ કરવામાં આવેલ હતી.આ કામે અશ્વીનભાઈ સામે ચાર્જશીટ થતા સ્પે.ઈલેકટ્રીસીટી કેસ નંબર ૩૪/૨૦ થી પાવર ચોરીનો કેસ અશ્વીન સોંડાભાઈ વાટુકીયા સામે થયો હતો.જે કેસ સ્પેશ્યલ ઈલેકટ્રીસીટી કોર્ટ મોરબીના મહે.સેકન્ડ એડીસ્નલ એન્ડ શેશન્સ જજ સાહેબ શ્રી નાદપરા સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીનાં એડવોકેટ કરમશી ડી.પરમારે ધારદાર દલીલો કરીને ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટો રજુ કર્યા હતા.તેને ધ્યાને લઈને અશ્વીન સોંડાભાઈ વાટુકીયાને તા.૨૦-૮-૨૫ ના રોજ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટએ હુકમ ફરમાવેલ છે.આ કેસમાં અશ્વીનભાઈના વકીલ તરીકે મોરબીના યુવા એડવોકેટ કરમશી ડી.પરમાર રોકાયેલા હતા






Latest News