મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં પી.જી.વી.સી.એલ.પાવર ચોરીના કેસમાં નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં પી.જી.વી.સી.એલ.પાવર ચોરીના કેસમાં નિર્દોષ છુટકારો

મોરબીમાં પી.જી.વી.સી.એલ.પાવર ચોરીના કેસમાં નિર્દોષ છુટકારો કરવા કોર્ટે હુકમ કરેલ છેે.

આ બાબતે આક્ષેપીત અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયાના એડવોકેટ કરમશીભાઇ પરમારના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકા રૂરલ-૨ સબ ડીવીઝન, પી.જી.વી.સી.એલ. કચેરીએ આરોપી અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયા, રહે.લુણસર તા.વાંકાનેર, જી.મોરબી. સામે પાવર ચોરીની ફરીયાદ કરેલ જે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબ દાખલ કરવામાં આવેલ હતી.આ કામે અશ્વીનભાઈ સામે ચાર્જશીટ થતા સ્પે.ઈલેકટ્રીસીટી કેસ નંબર ૩૪/૨૦ થી પાવર ચોરીનો કેસ અશ્વીન સોંડાભાઈ વાટુકીયા સામે થયો હતો.જે કેસ સ્પેશ્યલ ઈલેકટ્રીસીટી કોર્ટ મોરબીના મહે.સેકન્ડ એડીસ્નલ એન્ડ શેશન્સ જજ સાહેબ શ્રી નાદપરા સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીનાં એડવોકેટ કરમશી ડી.પરમારે ધારદાર દલીલો કરીને ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટો રજુ કર્યા હતા.તેને ધ્યાને લઈને અશ્વીન સોંડાભાઈ વાટુકીયાને તા.૨૦-૮-૨૫ ના રોજ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટએ હુકમ ફરમાવેલ છે.આ કેસમાં અશ્વીનભાઈના વકીલ તરીકે મોરબીના યુવા એડવોકેટ કરમશી ડી.પરમાર રોકાયેલા હતા






Latest News