મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી-૨ ડેમના ૬ દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડવામાં આવશે


SHARE















ટંકારાના ડેમી-૨ ડેમના ૬ દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડવામાં આવશે

ટંકારા તાલુકાનાં નસીતપર ગામ પાસે ડેમી-૨ ડેમ આવેલ છે તે ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમને ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વાર કાલે ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવશે.

ટંકારા તાલુકામાં આવેલ ડેમી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમો ભરવા માટે ડેમી-૨ ડેમમાંથી કુલ ૩૭ MCFT પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જે દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે જેથી તા ૧૫ ને ગુરુવારે બપોરે ૨ વાગ્યે ડેમી-૨ ડેમના ૬ દરવાજાને ૧ ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવશે અને કુલ મળીને ૩૫૧૭ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. જો કે, નદીમાં પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર તથા મોરબીના ચાચાપર, ખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવેલ છે. 






Latest News