મોરબીમાં પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ: આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી
SHARE








મોરબીમાં પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ: આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી
પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા સહિતના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે અને હિન્દુઓ ઉપર કરવામાં આવેલ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે.
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રહિત પ્રથમને મહત્વ આપતા હાલના સમયમાં કાશ્મીરના પહેલગામમાં હિન્દુ સમાજ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં નિર્મમ રીતે હિન્દુઓની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને આગામી તા. 29/4/2025 ને મંગળવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા તેમજ ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રદ કરવામાં આવેલ છે અને આ આતંકવાદી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને તા. 29/4/2025 ના રોજ પરશુરામ ધામ ખાતે દાદાની આરતી કરવામાં આવશે અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે

