સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE





ટંકારા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ- ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે.

આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, લોહીની ટકાવારી તેમજ લોહીના ગ્રુપની તપાસ પણ ફ્રી માં કરી આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલના તબીબની ટીમ હાજર રહેશે જેથી ટંકારા પંથકની જાહેર જનતાકેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે અને આ કેમ્પ કાલે તા તા.૧૪-૪ ને સોમવારે બપોરે ૧૨.૩૦ થી ૨.૩૦ સુધી બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, સર્કિટ હાઉસ સામે, ટંકારા ખાતે યોજાશે અને વધુ માહિતી માટે તેમજ નામ લખાવવા માટે મોબાઈલ નંબર ૭૮૨૦૦ ૭૪૨૦૦ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ કહ્યું છે




Latest News