મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારા યોગ ટીમ દ્વારા ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિર યોજાઇ


SHARE















ટંકારા યોગ ટીમ દ્વારા ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિર યોજાઇ

ટંકારા તાલુકામાં સૌ પ્રથમવાર નિઃશુલ્ક ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ અભ્યાસ શિબિર રોગાનુસાર યોગ મહાઅભિયાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા 4 થી 6 સુધી રોજ સવારે 5:30 થી 7:30 સુધી આર્ય મહાવિદ્યાલય ટંકારા ખાતે શિબિર યોજાયેલ હતી

આ શિબિરનો 300 જેટલા લોકોએ લાભ લીધેલ હતો. ઉલેખનીય છે કે, વર્તમાન સમયમાં લાઇફ સ્ટાઇલ અને બગડતું જતું ખાન-પાન, યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ, અનિદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. આ સમસ્યાથી બચવા આપણા ઋષિમુનિઓએ વારસામાં આપેલ અમૂલ્ય ભેટ યોગ દ્વારા આજના આ ઝડપી યુગમાં પણ દરેક વ્યક્તિ પોતાનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતિને પામી શકે છે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ શર્મા (યોગગુરુ)એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યને સફળ બનાવવા માટે આચાર્ય રામદેવજી, સ્લોગન ગ્રુપ બેચરભાઈ પટેલ, ખજૂરા રિસોર્ટ બળવંતભાઈ પટેલ, બાલાજી પોલિપેક જગદીશભાઈ પનારા, બહુચર મંડપ સર્વિસ નયનભાઈ, આઝાદ ડીજે ઈમરાનભાઈ, સમીર લાઈટ ડેકોરેશન, ચામુંડા પ્રિન્ટિંગ પ્રેસ ભાવેશભાઈ, ગાયત્રી સ્ટુડિયો સંજયભાઈ નગવાડીયા, ડોક્ટર  વી.બી. ચિખલિયા તેમજ સાગરભાઇ રામાવતસહયોગ આપેલ હતો. અને આ શિબિરમાં ઘણા લોકોએ પ્રતિદિન યોગ સાથે જોડાઈ રહેવા માટે સંકલ્પ પણ કર્યો હતો.






Latest News