મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના અમરસર ફાટક પાસેથી પસાર થતી માલા ગાડી ટ્રેન પસાર થતી હતી ત્યારે તેની આડે કૂદીને યુવાનને આપઘાત કર્યો હતો જેથી કરીને બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના પચ્ચીસ વારિયા સોસાયટીની અંદર ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા પરેશભાઈ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નાંદેસરિયા (ઉમર ૨૫) વાંકાનેર નજીક આવેલ અમરસર રેલવે ફાટક પાસેથી પસાર થતી માલગાડી હડફેટે આવી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરેશભાઈ નાંદેસરિયાને છેલ્લા થોડા સમયથી કામ ધંધો ન હોવાના કારણે આર્થિક મૂંઝવણ હતી અને તેની સગાઈ પણ થયેલ નથી જેથી કરીને તેને આત્મહત્યા કરી હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે






Latest News