મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા પ્રભારી રઘુ શર્માની સૂચના અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક તથા જનજાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આવનારા દિવસોમાં રાજ્યની અને કેન્દ્રની ભ્રષ્ટ ભાજપા સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે જેની સામે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા અવાજ ઉઠાવીને લોકોને જાગૃત કરવાનું કામ કરશે.કાર્યક્રમ દરમ્યાનમાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા કાર્યક્રમના અંતે શહેરના સરા નાકા પાસે સરકાર દ્વારા ત્રણ કાળા કૃષી કાયદા રદ કરવામાં આવ્યા તેની ખુશાલીમાં ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી.

તેમજ સર્વાનુમતે છ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.જેમા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોને પોતાની જણસોનો પુરતો ભાવ આપવામાં આવે, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ગામડાઓમાં ખરાબ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે, તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવે અને આરોગ્ય સુવિધા વધારવામાં આવે, ઉનાળામાં થયેલ કમોસમી વરસાદના લીધે મીઠું પકવતા અગરીયાઓને થયેલ નુકશાનની તાત્કાલિક સહાય ચુકવવામાં આવે, કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય ચુકવવામાં આવે અને કથડતા શિક્ષણનું સ્તર સુધારવામાં આવે અને ખાનગીકરણ ઉપર અંકુશ લગાવવામાં આવે તેવા લોકહીતના ઠરાવો કરવામાં આવ્યા હતા.






Latest News