મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી નજીક મૃત ગાય સાથે કાર અથડાતાં અકસ્માત: બે મહિલા સહિત ત્રણને ઇજા


SHARE











ટંકારાના હરબટીયાળી નજીક મૃત ગાય સાથે કાર અથડાતાં અકસ્માત: બે મહિલા સહિત ત્રણને ઇજા

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ નજીક મૃત ગાય સાથે કાર અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના રહેવાસી મનસુખભાઈ રવજીભાઈ પટેલ (63), ગાંધીનગરના રહેવાસી મંજુલાબેન ગિરધરભાઈ પટેલ (68) અને અમદાવાદના રહેવાસી પ્રિયંકાબેન જયભાઈ માંડલીયા (30) નામના ત્રણેય વ્યક્તિઓ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસેથી કારમાં જઈ રહ્યા હતા ત્યારે મૃત ગાય સાથે કાર અથડાઈ હતી જેથી અકસ્માત થયેલ હતો જે બનાવમાં ત્રણેયને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવની મોરબીથી ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

દવા પી જતાં સારવારમાં

હળવદ તાલુકાના કીડી ગામે રહેતા સુજીત અમૃતભાઈ ચાવડા (28) નામનો યુવાન વાડીએ કોઈ અગમ્ય કારણોસર અજાણી દવા પી જતા તેને હળવદ સારવાર માટે લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટની પાછળના ભાગમાં આવેલ શિવ સોસાયટીમાં મારામારીનો બનાવવાની હતો જેમાં અવે આસિફા છાણિયા (24), ઈસ્માઈલ અહેમદ ચાનિયા (43) અને જાહિદ ગફાર ચાનિયા (17) નામના ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News